કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભાનું સભ્યપદ બહાલ થયા પછી આજે પ્રથમ વખત તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડ (કેરળ)ની મુલાકાત લેશે. તેઓ શુક્રવારે મોડી રાત્રે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી વાયનાડ જવા રવાના થયા હતા.
Advertisement
Advertisement
આ પહેલા કોંગ્રેસ મહામંત્રી કેસી વેણુગોપાલે માહિતી આપી હતી કે રાહુલ ગાંધી 12-13 ઓગસ્ટે વાયનાડની મુલાકાત લેશે. કેરળ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ વીટી સિદ્દીકીએ કહ્યું કે વાયનાડમાં રાહુલ ગાંધીના આગમન પર તેમના ઉષ્માભર્યા સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે. આ સપ્તાહની શરૂઆતમાં જ લોકસભા સચિવાલય તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી હતી
સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકી દીધો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ બહાલ કરવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. કેસી વેણુગોપાલે ટ્વીટ કર્યું હતું કે રાહુલ ગાંધી 12-13 ઓગસ્ટે તેમના લોકસભા મતવિસ્તાર વાયનાડની મુલાકાત લેશે. રાહુલ ગાંધીની મુલાકાતને લીધે ત્યાંના લોકોમાં ભારે ઉત્સાહ છે. વાયનાડના લોકો ખુશ છે કે લોકશાહીની જીત થઈ છે અને સંસદમાં તેમનો અવાજ પાછો ફર્યો છે. રાહુલ ગાંધી માત્ર તેમના સાંસદ નથી પરંતુ પરિવારના સભ્ય જેવાં છે.
શું હતો માનહાનિનો કેસ
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આ ટિપ્પણી સામે ફરિયાદ દાખલ કરી હતી. ચાર વર્ષ પછી, 23 માર્ચ, 2023 ના રોજ, ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને ગુનાહિત માનહાનિ માટે દોષી ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. નીચલી કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ ત્યાંથી પણ તેમને રાહત મળી ન હતી.
Advertisement