દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભાનું સભ્યપદ પાછું મળ્યા બાદ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યુરોપના પાંચ દિવસના પ્રવાસે જાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી તેમના વિદેશ પ્રવાસ દરમિયાન 7 સપ્ટેમ્બરે બેલ્જિયમમાં યુરોપિયન કમિશનના સાંસદોને મળશે. આ અગાઉ રાહુલ અમેરિકાના પ્રવાસે ગયા હતા. તે દરમિયાન તેમણે અલગ-અલગ મુદ્દા પર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Advertisement
Advertisement
10 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીનું પ્રવાસી ભારતીયોને સંબોધન
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી આવતા મહિને યુરોપના પાંચ દિવસના પ્રવાસે રવાના થશે જ્યાં તેઓ 8 સપ્ટેમ્બરે પેરિસમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરશે અને 9 સપ્ટેમ્બરે પેરિસમાં ટ્રેડ યુનિયનની બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ તેમનો નોર્વે જવાનો કાર્યક્રમ છે. ત્યાં તેઓ પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતી વખતે 10 સપ્ટેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધિત કરે તેવી શક્યતા છે. નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે જી-20 સમિટ યોજાવા જઈ રહી છે એવા સમયે રાહુલ ગાંધીની યુરોપની મુલાકાત થઈ રહી છે. જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ આ વર્ષે મે મહિનામાં અમેરિકાની લાંબી યાત્રા કરી હતી. કોંગ્રેસના નેતાએ સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્ક જેવા શહેરોમાં ભારતીય પ્રવાસીઓ, સાહસિક મૂડીવાદીઓ અને સંસદસભ્યો સાથે વાતચીત કરી હતી.
સુનીતા વિશ્વનાથ સાથેની મુલાકાત પર સવાલો ઉઠ્યા હતા
રાહુલ ગાંધી અમેરિકા પ્રવાસ દરમિયાન સુનીતા વિશ્વનાથને મળ્યા હતા. ત્યારબાદ ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતા અમેરિકાની મુલાકાત દરમિયાન એવા લોકોને મળ્યા હતા જે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. ભાજપે માંગ કરી હતી કે રાહુલ ગાંધી સુનિતા વિશ્વનાથને કેમ મળ્યા એ વિશે સત્ય જણાવવું જોઈએ. સુનિતા કંપની સાથે સંકળાયેલા છે જેને જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
Advertisement