મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે હજુ ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સંજય રાઉતે શિંદે સરકાર પર લોકોની સમસ્યાઓને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેના ગણેશ ચતુર્થીના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ પ્રશ્રો ઉઠાવ્યા છે.
Advertisement
Advertisement
શિવસેના (યુબીટી)ના નેતા રાઉતે મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધતા કહ્યું, ‘આખા નાગપુરમાં પાણી ભરાઈ ગયું છે. મહારાષ્ટ્રના કેટલાંક ભાગો હજુ પણ સૂકા છે. મુખ્યમંત્રી તે વિસ્તારોમાં કેમ નથી જતા ? પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાને બદલે મુખ્યમંત્રી બોલિવૂડ અને ટોલીવુડની હસ્તીઓ સાથે ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે.
સીએમ શિંદેના વિદેશ પ્રવાસ પર સવાલ ઉઠાવ્યો
મીડિયા સાથે વાતચીત કરતા શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે સીએમ શિંદેના વિદેશ પ્રવાસ પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે મુખ્યમંત્રીને પ્રશ્ર કર્યો, ‘ શું તમે રાજ્યમાં રોકાણ લાવવા જઈ રહ્યા છો ? પહેલા મહારાષ્ટ્રથી ગુજરાતમાં ગયેલું રોકાણ પાછું લાવો. એકનાથ શિંદેના યુરોપ પ્રવાસને મુલતવી રાખવાનું કારણ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે રાઉતે કહ્યું કે મુખ્યમંત્રી શિંદે શિવસેના (યુબીટી), આદિત્ય ઠાકરે અને મહારાષ્ટ્રના લોકોથી ડરી ગયા છે.
તેમણે વધુમાં કહ્યું, ‘જ્યારે મહારાષ્ટ્ર મુશ્કેલીમાં છે ત્યારે મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસનો કોઈ અર્થ નથી. એક તરફ મહારાષ્ટ્રના લોકો દુઃખ અને વેદનામાં જીવી રહ્યા છે તો બીજી તરફ મુખ્યમંત્રી મોટી – મોટી હસ્તીઓ સાથે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવી રહ્યા છે.
ખેડૂતોના મુદ્દે રાજ્ય સરકારને ઘેરી
શિવસેનાના નેતાએ મહારાષ્ટ્રમાં ખેડૂતોના મુદ્દાને ઉકેલવામાં વિલંબની પણ ટીકા કરી છે. તેમણે કહ્યું, ‘જ્યારે સમસ્યા મહારાષ્ટ્રમાં છે તો પીયૂષ ગોયલ ખેડૂતોને દિલ્હી કેમ બોલાવી રહ્યા છે. તેમણે મહારાષ્ટ્રના ખેડૂતો માટે શું કર્યું ? સુનીતા પવાર બારાબંકીથી ચૂંટણી લડવાના છે તેવી ચર્ચા અંગે શિવસેનાએ કહ્યું કે આવી અફવાઓ ફેલાવવાનું બંધ કરો. એવું તો ક્યારેય થવાનું નથી. અમે પવાર પરિવાર અને બારાબંકીની રાજનીતિને સારી રીતે સમજીએ છીએ.
Advertisement