નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએની બેઠકને સંબોધતા કહ્યું કે એક રીતે એનડીએ એ અટલજીનો વધુ એક વારસો છે જે આપણને સાંકળી રાખે છે. અડવાણીજીએ પણ NDAની રચનામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી અને આજે પણ તેઓ આપણને માર્ગદર્શન આપી રહ્યા છે. તાજેતરમાં NDAની રચનાના 25 વર્ષ પૂર્ણ થયા છે, આ 25 વર્ષ દેશની પ્રગતિને ઝડપી બનાવવા અને પ્રાદેશિક આકાંક્ષાઓને પૂર્ણ કરવાના રહ્યા છે.
Advertisement
Advertisement
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમે જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પણ અમે સકારાત્મક રાજનીતિ કરી હતી, અમે ક્યારેય નકારાત્મક રાજનીતિ કરી નથી. વિપક્ષમાં રહીને અમે સરકારોનો વિરોધ કર્યો, તેમના કૌભાંડો બહાર લાવ્યા પરંતુ જનાદેશનું અપમાન કર્યું નથી કે વિદેશી સત્તાઓની મદદ લીધી નથી. જ્યારે સત્તાની મજબૂરીને કારણે ગઠબંધન કરવામાં આવે છે, જ્યારે ભ્રષ્ટાચારના ઈરાદાથી ગઠબંધન કરવામાં આવે છે, જ્યારે ગઠબંધન પરિવારવાદની નીતિ પર આધારિત હોય છે, જ્યારે ગઠબંધન જાતિવાદ અને પ્રાદેશિકવાદને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, ત્યારે તે ગઠબંધન દેશને બહુ નુકસાન નું કારણ બને છે. NDA એટલે N-New India, D- Developed Nation, A- Peoples’ aspirations. આજે યુવાનો, મહિલાઓ, મધ્યમ વર્ગ, દલિતો અને વંચિતોને એનડીએમાં વિશ્વાસ છે.
બેઠકને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમે માત્ર આજની જરૂરિયાતો માટે જ કામ નથી કરતાં, આવનારી પેઢીઓનું ભવિષ્ય પણ સુરક્ષિત બનાવી રહ્યા છીએ. અમે વિકાસની સાથે-સાથે વારસાની જાળવણી પણ કરી રહ્યા છીએ, અમે મેક ઇન ઇન્ડિયા પર ભાર આપી રહ્યા છીએ અને પર્યાવરણની સુરક્ષા પર પણ કરી રહ્યા છીએ, અમારી દાનત સાફ છે, અમારી નીતિ સ્પષ્ટ છે અને અમારો નિર્ણય અફર છે. રાજનીતિમાં હરીફાઈ હોઈ શકે છે પરંતુ દુશ્મની નથી હોતી પરંતુ આજે વિપક્ષે પોતાની એક જ ઓળખ બનાવી છે, અમને ગાળો આપવી, અમને નીચું દેખાડવું. આમ છતાં અમે દેશને પક્ષોના હિતથી ઉપર રાખ્યો છે. આ એનડીએ સરકાર જ છે જેણે પ્રણવ મુખરજીને ભારત રત્ન આપ્યો, અમે મુલાયમ સિંહ યાદવ, શરદ પવાર, ગુલામ નબી આઝાદ જેવા અનેક નેતાઓને પદ્મ સન્માન આપ્યું.
આ પ્રસંગે પીએમ મોદીએ વિપક્ષી એકતા પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે જનતા જોઈ રહી છે કે આ પાર્ટીઓ કેમ ભેગી થઈ રહી છે ? જનતા એ પણ જાણી રહી છે કે એવો કયો ગુંદર છે જે આ પાર્ટીઓને જોડી રહ્યો છે. નાના-નાના સ્વાર્થ માટે મૂલ્યો અને સિદ્ધાંતો સાથે કેવી રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે. પોતાના રાજકીય સ્વાર્થ માટે આ લોકો નજીક તો આવી શકે છે પણ સાથે આવી શકતા નથી, જે લોકો આજે મોદીની નિંદા કરવામાં આટલો સમય વિતાવી રહ્યા છે, તેઓ દેશ માટે, ગરીબો માટે વિચારીવામાં, સમય પસાર કર્યો હોત તો સારું થાત, 2024ની ચૂંટણી બહુ દૂર નથી અને દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે એનડીએને જ ફરી ત્રીજી વખત તક આપવાની છે.
એનડીએની બેઠકને સંબોધતા પીએમએ વધુમાં કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે એનડીએના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. દરેક સ્વપ્ન એક સંકલ્પ છે અને અમે દરેક સંકલ્પની સિદ્ધિ માટે કામ કરતા સમર્પિત ભાવથી જોડાયેલા લોકો છીએ. હું ખાતરી આપું છું કે હું મારી મહેનત અને પ્રયત્નોમાં કોઈ કસર છોડીશ નહીં. મારા શરીરનો દરેક કણ, મારા સમયની દરેક ક્ષણ દેશને જ સમર્પિત છે.
Advertisement