વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ચૂંટણી રાજ્ય રાજસ્થાન પહોંચ્યા અને જોધપુરમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી. ત્યારબાદ તેમણે જોધપુરમાં હેરિટેજ સ્પેશિયલ-મારવાડ અને રૂણિચા એક્સપ્રેસ-જેસલમેર ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે ગઈકાલે ભાજપ સરકારે નિર્ણય કર્યો છે કે હવે ઉજ્જવલા યોજનાની લાભાર્થી બહેનોને કેન્દ્ર સરકાર તરફથી માત્ર 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે.
Advertisement
Advertisement
આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે આજે મેં જોધપુરમાં ઘણાં વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો પરંતુ મુખ્યમંત્રી ગાયબ હતા કારણ કે તેમને વિશ્વાસ છે કે મોદી આવશે તો બધું ઠીક થઈ જશે. હું પણ તેમને કહું છું કે તમે આરામ કરો, હવે અમે સંભાળી લઈશું. પાંચ વર્ષમાં અહીંની કોંગ્રેસ સરકારે એક પગલું પણ ચાલી નહીં, અહીં 24 કલાક ખુરશીનો ખેલ ચાલતો રહ્યો, તમે લાલ ડાયરી વિશે તો સાંભળ્યું જ હશે, લોકો કહે છે કે લાલ ડાયરીમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારના કાળાં કારતૂતો છે.
કોંગ્રેસ અને ગેહલોત સરકાર પર નિશાન સાધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસના પેપર લીક માફિયાઓએ અહીંના યુવાનોનું ભવિષ્ય બરબાદ કર્યું છે. ચૂંટણી વખતે બેરોજગારી ભથ્થાનું વચન આપનાર કોંગ્રેસે અહીંના યુવાનોને પેપર લીક માફિયાઓને સોંપી દીધા હતા. ભાજપ આવા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરશે. શું તુષ્ટિકરણ કોંગ્રેસની પ્રથમ અને છેલ્લી નીતિ છે ? રામ નવમી, હનુમાન જયંતિ, પરશુરામ જયંતિ, એવો કોઈ તહેવાર એવો નથી હોતો કે જેમાં રાજસ્થાનથી પથ્થરમારાના સમાચાર આવ્યા ન હોય, શાંતિ માટે જાણીતા જોધપુર શહેરમાં ધોળા દિવસે ગેંગ વોર થાય છે.
જોધપુરમાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મેં સાંભળ્યું છે કે એક ફિલ્મ આવી છે, ધ વેક્સીન વોર, આપણા દેશના વૈજ્ઞાનિકોએ ભારતમાં કોવિડ સામે લડવા માટે દિવસ-રાત મહેનત કરી, તેમની લેબમાં એક ઋષિની માફક સાધના કરી, તે ફિલ્મમાં આ બધી બાબતો દર્શાવવામાં આવી છે. હું આ ફિલ્મના નિર્માતાઓને અભિનંદન આપું છું કે તેઓએ આ ફિલ્મ બનાવીને વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનને મહત્વ આપ્યું છે.
Advertisement