વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશની મુલાકાતે છે. તેમણે રાજધાની ભોપાલ ખાતે જનસંઘના સહ-સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પર ‘કાર્યકર મહાકુંભ’ને સંબોધન કર્યું. ત્યારબાદ પીએમ મોદી રાજસ્થાનની મુલાકાત લેશે. ત્યાં તેઓ જયપુરમાં પરિવર્તન સંકલ્પ યાત્રાના સમાપન પર એક મોટી ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ વર્ષના અંતમાં આ બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પીએમ મોદી ખુલ્લી જીપમાં ભોપાલના જંબૂરી ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. તેમની સાથે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા પણ હાજર હતા.
Advertisement
Advertisement
પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
મહિલા શક્તિ વંદન બિલ અંગે ભોપાલના જંબૂરી મેદાનમાં આયોજિત કાર્યકર્તા મહાકુંભ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા પ્રતિનિધિઓએ ગળામાં હાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે આ મહાકુંભ ભાજપની નવી ઉર્જાને દર્શાવે છે, તે દરેક ભાજપ કાર્યકર્તાના સાહસને દર્શાવે છે. મધ્યપ્રદેશને દેશનું હૃદય કહેવામાં આવે છે. દેશના આ દિલનું ભાજપ સાથે જોડાણ ખાસ રહ્યું છે. જનસંઘના સમયથી આજ સુધી રાજ્યની જનતાએ હંમેશા ભરપૂર આશીર્વાદ આપ્યા છે.
પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
કાર્યકર મહાકુંભને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસના શાસનની ઓળખ રાજનીતિ, કુશાસન અને કરોડોનો ભ્રષ્ટાચાર છે, આઝાદી પછી કોંગ્રેસે મધ્યપ્રદેશમાં લાંબા સમય સુધી શાસન કર્યું. પરંતુ કોંગ્રેસે સાધન સંપન્ન મધ્ય પ્રદેશને બીમારુ બનાવી દીધું. ભાજપે પોતાના દરેક કાર્યકાળમાં મધ્યપ્રદેશને નવી ઉર્જા સાથે નવી ઉંચાઈઓ પર લઈ જવાનો પ્રયાસ કર્યો છે અને તેથી અહીંના યુવાનોએ ભાજપનું સુશાસન જ જોયું છે. તેમણે ચારે બાજુથી મધ્યપ્રદેશનો વિકાસ થતો જોયો છે.
કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ અને તેનું ઘમંડી ગઠબંધન આપણી વિરાસત અને સનાતનને ખતમ કરવા માંગે છે. મધ્યપ્રદેશે આવી પાર્ટીઓથી ખૂબ સાવધાન રહેવું પડશે… કોંગ્રેસ પહેલા બરબાદ થઈ, હવે નાદાર થઈ અને હવે કોંગ્રેસે તેનો કોન્ટ્રાક્ટ બીજાને આપી દીધો છે. કોંગ્રેસનો કોન્ટ્રાક્ટ હવે કેટલાંક શહેરી નક્સલવાદીઓ પાસે છે. કોંગ્રેસ પણ જમીન પર પોકળ બની રહી છે.
Advertisement