પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા અને ઈજિપ્તની પાંચ દિવસીય યાત્રા પછી રવિવારે 25 જૂને મોડી રાત્રે ભારત પરત આવ્યા હતા.. પાલમ એરપોર્ટ પર તેમના વિમાને ઉતરાણ કર્યું હતું. ભાજપ નેતાઓએ કહ્યું કે પીએમએ બધા સાથે વાત કરી હતી અને કહ્યું કે તમે રાત્રે એરપોર્ટ પર આવવા માટે તમારી ઊંઘ કેમ બગાડી. PMએ પૂછ્યું કે દેશમાં શું ચાલી રહ્યું છે. ત્યારે જે પી નડ્ડાએ પીએમને કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ચાલી રહેલા કાર્યક્રમ વિશે માહિતી આપી હતી.
Advertisement
Advertisement
PMએ અમેરિકામાં અનેક વ્યાપાર કરાર કર્યા
વડાપ્રધાન મોદી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે પહોંચ્યા હતા. ત્યાંથી બે દિવસની મુલાકાત માટે તેઓ ઇજિપ્ત પહોંચ્યા, 6 દિવસ પછી પીએમ ભારત પરત ફર્યા છે. ભાજપે અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસને ઐતિહાસિક ગણાવ્યો છે. મોદીની મુલાકાત દરમિયાન અમેરિકામાં વસતા પ્રવાસી ભારતીયોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય વડા પ્રધાનની યુએસ મુલાકાત દરમિયાન અમેરિકા અને ભારત વચ્ચે અનેક વ્યાપાર કરારો થયા હતા. પીએમ મોદીના સન્માનમાં અમેરિકાના વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી, બીજેપી અધ્યક્ષ નડ્ડા, દિલ્હીમાં પાર્ટીના વડા વીરેન્દ્ર સચદેવા, સાંસદ હર્ષ વર્ધન, હંસરાજ હંસ, મનોજ તિવારી, ગૌતમ ગંભીર, પ્રવેશ શર્માએ પીએમનું સ્વાગત કર્યું.
દિલ્હી એરપોર્ટ પર પીએમનું સ્વાગત કરાયું
ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે તેમણે (પીએમ) નડ્ડાજીને પૂછ્યું હતું કે અહીં (દેશમાં) શું ચાલી રહ્યું છે. નડ્ડાજીએ તેમને કહ્યું કે સરકારના 9 વર્ષ પૂરા થવા પર પાર્ટીના નેતાઓ રિપોર્ટ કાર્ડ લઈને જનતા સુધી પહોંચી રહ્યા છે અને દેશ ખુશ છે. બીજેપી સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું કે વડાપ્રધાને પૂછ્યું કે દેશમાં શું ચાલી રહ્યું છે અને પાર્ટીનું જનસંપર્ક અભિયાન કેવી રીતે ચાલી રહ્યું છે. અમે તેમને આ અંગે માહિતી આપી હતી.
Advertisement