દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે 14 જૂન, 2023ના રોજ કાયદા પંચે લોકો અને પક્ષકારોને તેમના મંતવ્યો (યુસીસી પર) આપવા કહ્યું હતું, જેના સંબંધમાં અમે અમારા પક્ષ વતી એક પત્ર મોકલ્યો છે.
Advertisement
Advertisement
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મેં કહ્યું છે કે કાયદા પંચે જણાવવું જોઈએ કે UCC શું છે? આ બહુ સંયોગની વાત છે કે 2018માં પણ મોદીજીએ UCC વિશે વાત કરવાનું શરૂ કર્યું કારણ કે 2019માં ચૂંટણી હતી અને હવે 2024માં ચૂંટણી છે, તેથી તેમણે ફરી શરૂઆત કરી. ભાજપ લો કમિશનનો ઉપયોગ કરી રહ્યો છે તે ખૂબ જ અફસોસની વાત છે.
કેરળના રાજ્યપાલના નિવેદન પર ઓવૈસીનો વળતો પ્રહાર
સમાન નાગરિક સંહિતા પર, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું હતું કે કોઈ તેની ચિંતા વ્યક્ત કરતું હોય તો તેનું સ્વાગત કરવું જોઈએ. લોકો જે કહે છે તે તેમને કહેવા દો. આ બધી બાબતો પરથી સરકારને ખબર પડશે કે લોકો શું કહે છે અને સરકાર એ તમામ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખશે. તેમના આ નિવેદન પર ઓવૈસીએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે આરિફ મોહમ્મદ ખાને રાજ્યપાલ તરીકે કોઈ એક સરકારના વખાણ ન કરવા જોઈએ. તેના બદલે તેમણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ જવું જોઈએ, પછી ભાજપના વખાણ કરવા જોઈએ.
વિપક્ષી એકતાની બેઠક પર પણ પ્રહારો કર્યા
કોંગ્રેસ શાસિત કર્ણાટક રાજ્યમાં વિપક્ષની બીજી મોટી બેઠક 17-18 જુલાઈના રોજ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં યોજાવાની છે. વિપક્ષી ગઠબંધનની આ બીજી બેઠકમાં ઓછામાં ઓછા 24 રાજકીય પક્ષોના ટોચના નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે. વિપક્ષના આ પ્રયાસ પર પણ નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું કે તમે (વિપક્ષ) 2024માં ભાજપને હરાવવા માંગતા હો તો ફરક તો બતાવો કે પછી તમે ભાજપના એજન્ડાને ફોલો કરશો. મને ખબર નથી કે તે લોકો (વિપક્ષ) તે વિષય (UCC) પર વાત કરશે કે નહીં, પરંતુ તમારે ફરક તો બતાવવો જ પડશે. તે મોટામોટા ચૌધરીઓની ક્લબ છે,
Advertisement