અયોધ્યામાં રામજન્મભૂમિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાન રામના નિર્માણાધીન મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થશે. અયોધ્યામાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ માટે PM મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ આમંત્રણને લઈને વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો છે.
Advertisement
Advertisement
સંજય રાઉતે પ્રતિક્રિયા આપી
શિવસેના (UBT) નેતા સંજય રાઉતે પીએમ મોદીને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા માટે મોકલેલા આમંત્રણ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આવા પ્રસંગોએ પીએમને આમંત્રણ આપવું જરૂરી ન હોવાનું જણાવ્યું હતું. શિવસેના (યુબીટી) નેતાએ કહ્યું, ‘પીએમ મોદીને આમંત્રણ આપવાની કોઈ જરૂર નથી. તેઓ પોતે પણ આવા પ્રસંગોમાં હાજર રહી શકે છે. તેઓ દેશના વડાપ્રધાન છે. તેમણે ત્યાં જરૂર જવું જ જોઈએ.
સંજય રાઉતે વધુમાં કહ્યું કે, ‘આવા પ્રસંગોમાં કોણ નથી જવા માંગતું? રામ મંદિર બનવાનું જ હતું. આ માટે હજારો કારસેવકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. જેમાં તમામ હિન્દુત્વવાદી સંગઠનો અને પક્ષો સામેલ છે. શિવસેના, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ પણ તેમાં હતા. પીએમ મોદીએ ત્યાં જઈને પ્રાર્થના કરવી જોઈએ, પરંતુ મને લાગે છે કે આ ચૂંટણીની તૈયારી છે.
કોંગ્રેસના સલમાન ખુર્શીદે ટીકા કરી
કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે પીએમ મોદીને આમંત્રણ મોકલવા અંગે ટીકા કરી હતી. તેમણે પૂછ્યું કે શું આ આમંત્રણ માત્ર એક જ પાર્ટીને આપવામાં આવશે? કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘કોને આમંત્રણ આપવું જોઈએ અને કોને નહીં તે અંગે હું કોઈ નિવેદન આપીશ નહીં. પણ શું ભગવાન માત્ર એક જ પક્ષ પૂરતા મર્યાદિત બની ગયા છે ? આમંત્રણ દરેક માટે હોવું જોઈએ.
DMK નેતાએ કર્યો આક્ષેપ
અયોધ્યામાં રામ મંદિરની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ માટે પીએમ મોદીને અપાયેલા આમંત્રણના મુદ્દે DMK નેતા ટીકેએસ એલનગોવને કહ્યું, “હું શું કહું ? તેમણે ઈતિહાસને તોડીને તેની જગ્યાએ પૌરાણિક કથાઓ મૂકી છે. તેઓ ઈતિહાસને પૌરાણિક કથા સાથે બદલવા માંગે છે. ભાજપ તે જ કરવાનો પ્રયાસ કરી રહી છે. સત્તામાં રહેલા આ લોકો પાસેથી આપણે શું અપેક્ષા રાખી શકીએ? ..તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ રામને મહત્વની વસ્તુ નથી માનતો. પરંતુ તેમનો રાજકીય લાભ મહત્વનો બની જાય છે તેથી તેઓ પોતાના રાજકીય લાભ માટે રામનો ઉપયોગ કરી રહ્યા છે.”
Advertisement