વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની સરકાર વિરુદ્ધ દેશભરના ભાજપ વિરોધ પક્ષોની બેઠકનું નીતિશ કુમારે 23 જૂને પહેલીવાર પટણામાં આયોજન કર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસે બેંગલુરુમાં આ વિપક્ષી મહાગઠબંધનની બીજી બેઠક યોજી હતી. આ બેઠકમાં નવા ગઠબંધનનું નામ INDIA રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે મુંબઈમાં I.N.D.I.A.ની ત્રીજી બેઠક મળવાની છે. દરમિયાન માહિતી મળી રહી છે કે 30-31 ઓગસ્ટના રોજ મળનારી આ સૂચિત બેઠક હવે પહેલી સપ્ટેમ્બરે યોજાશે.
Advertisement
Advertisement
શુક્રવારે પટણામાં મુખ્યમંત્રી નીતિશ કુમારે આ તારીખની પુષ્ટિ કરી હતી. નીતિશ કુમારે કહ્યું કે બેંગલુરુની બીજી બેઠકથી આગળની વાતચીત મુંબઈમાં 1 ઓગસ્ટે મળનારી બેઠકમાં થશે. તેમણે ઉમર્યું કે મોટાભાગના લોકો 31 ઓગસ્ટે મુંબઈ પહોંચી જશે અને બીજા દિવસે એટલે કે શુક્રવારે બેઠકમાં હાજરી આપશે.
બેઠકની તારીખની પુષ્ટિ કરતાં તેમણે વધુમાં કહ્યું કે જે પણ સવાલો ઉઠાભાં થઈ રહ્યાં છે તે બધાંના જવાબ તમામ લોકોનો અભિપ્રાય લીધા બાદ આપવામાં આવશે. નીતિશ કુમારને I.N.D.I.A.ના સંયોજક તરીકે નિયુક્ત કરવાથી લઈને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ અને કોંગ્રેસના નંબર વન નેતા રાહુલ ગાંધીની ભૂમિકા સંબંધિત મીડિયાના પ્રશ્નોના જવાબમાં તેમણે આ વાત કરી હતી.
બેઠકમાં દરેક મુદ્દા પર ચર્ચા કરાશે
શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં સીએમ નીતિશ કુમારે કહ્યું કે 1 સપ્ટેમ્બરે મુંબઈમાં વિપક્ષી પાર્ટીઓ સાથે બેઠક છે. અમે 31મી ઓગસ્ટે ત્રીજી બેઠકમાં જઈશું. અમે 1લી સપ્ટેમ્બરે બેઠકમાં હાજરી આપીશું. અમે ઈચ્છીએ છીએ કે તમામ લોકો એકસાથે રહે. અલગ-અલગ રાજ્યોને ચાર્જ આપવાના સવાલ પર મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે બેઠકમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ પછી જે પણ નિર્ણય લેવામાં આવશે તે તમને જણાવવામાં આવશે. આ અંગે અત્યારે કંઈપણ કહેવું યોગ્ય નથી.
લાલુ પ્રસાદને જાણી જોઈને પરેશાન કરાય છે
ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદના જામીન રદ કરવા માટે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અંગે સીએમ નીતિશ કુમારે કહ્યું કે કેન્દ્ર સરકાર જાણી જોઈને તેમને પરેશાન કરી રહી છે. તે લોકો તો જાણીજોઈને લોકોને હેરાનપરેશાન કરી રહ્યા છે.
બેંગલુરુમાં વિપક્ષની બીજી બેઠક મળી હતી
કોંગ્રેસે બેંગલુરુમાં વિપક્ષની બીજી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 26 પાર્ટીઓના નેતાઓ એકઠા થયા હતા. બેઠકમાં નવા ગઠબંધનનું નામ INDIA રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ તમામ નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ, TMC, શિવસેના (ઉદ્ધવ જૂથ), NCP (શરદ પવાર જૂથ), CPI, CPIM, JDU, DMK, આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, RJD,સમાજવાદી પાર્ટી, નેશનલ કોન્ફરન્સ, PDP, RLD, CPI (ML),ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, કેરળ કોંગ્રેસ (એમ), મણિથાનેયા મક્કલ કાચી (એમએમકે), એમડીએમકે, વીસીકે, આરએસપી, કેરળ કોંગ્રેસ, કેએમડીકે, એઆઈએફબી, અપના દળ જેવા પક્ષોના નેતાઓ તેમાં ભાગ લીધો હતો.
Advertisement