મહારાષ્ટ્રના રાજકારણમાં આ વર્ષની સૌથી મોટી રાજકીય ઉથલપાથલ રવિવાર, 2 જુલાઈએ થઈ હતી, જ્યારે અજિત પવારે NCPમાં બળવો કર્યો. તેઓ 40થી વધુ ધારાસભ્યોના સમર્થન સાથે શિંદે સરકારમાં જોડાઈ ગયા. અજિત પવારના આ પગલાને એનસીપી પ્રમુખ શરદ પવાર માટે સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. એક તરફ, શરદ પવાર પીએમ મોદી વિરુદ્ધ દેશભરના વિપક્ષોને સંગઠિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા, પરંતુ પોતાના ગઢ મહારાષ્ટ્રમાં પાર્ટીને એકજૂથ રાખી શક્યા નહીં. આ ઘટના બાદ વિપક્ષી નેતાઓએ શરદ પવારને ફોન કર્યો હતો. કોંગ્રેસ સંસદીય સમિતિના પ્રમુખ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શરદ પવારને ફોન કરીને મદદનો હાથ લંબાવ્યો હતો.
Advertisement
Advertisement
પવારે કહ્યું- સમર્થન મળી રહ્યું છે
અજિત પવાર પાર્ટી છોડીને શિંદે સરકારમાં જોડાયા ત્યારપછી શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે તેમને સમર્થન માટે દેશભરના નેતાઓના ફોન આવી રહ્યા છે. એનસીપીના વરિષ્ઠ નેતાએ કહ્યું, “આજે જે બન્યું તેનાથી હું ચિંતિત નથી.” મને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો ફોન આવ્યો અને તેમણે મને ટેકો આપ્યો છે.
કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહાર
વિપક્ષી નેતાઓએ માત્ર શરદ પવારને જ સમર્થન નથી આપ્યું, પરંતુ ભાજપ પર પ્રહારો પણ કર્યા છે. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે વડાપ્રધાને હાલમાં જ NCP પર ભ્રષ્ટાચારનો મોટો આરોપ લગાવ્યો હતો અને હવે અમે આ ડ્રામા જોયો છે. આ સ્પષ્ટપણે ED અને તેમની એજન્સીઓ દ્વારા પ્રાયોજિત રમત છે. મહાવિકાસ અઘાડી પર તેની કોઈ અસર થશે નહીં. અમે ભાજપ સામે વધુ મજબૂતાઈથી લડીશું. આ NCPનો આંતરિક મામલો છે, મને સંપૂર્ણ ખાતરી છે કે શરદ પવાર આ પરિસ્થિતિને સારી રીતે પહોંચી વળવામાં સક્ષમ છે.
બીજી તરફ આ મામલે કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે અમે પીએમ મોદીને પૂછવા માંગીએ છીએ કે એક દિવસ પહેલા તેઓ કહેતા હતા કે 70,000 કરોડના ભ્રષ્ટાચારીઓ એકસાથે બેઠા છે, તો હવે તેમાંથી કેટલો ઘટાડો થયો છે. ભાજપ દ્વારા ચલાવવામાં આવતી ફેર એન્ડ લવલી સ્કીમ પર સમગ્ર દેશની નજર છે. પહેલા તમે લોકોને ભ્રષ્ટ કહો અને પછી તેમને ED અને CBIની નોટિસ મોકલાવો છો અને દરોડા પડાવો છો અને પછી તેમને તમારા પક્ષમાં સામેલ કરી દો છો અને એ લોકો સ્વચ્છ સાફ સુથરા થઈ જાય છે. પછી તે હિમંતા બિસ્વા સરમા હોય કે હમણાં જે પણ જોડાયા હોય, હવે તે (અજિત પવાર) ત્યાં જઈને ત્યાંની જ ધૂન ગાઈ રહ્યાં છે.
Advertisement