મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ ધારાસભ્યોને પક્ષમાંથી દૂર કરતાં એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે પક્ષના પ્રતીકોનો ઉપયોગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement
Advertisement
જયંત પાટીલના નિર્ણયને શરદ પવારનું સમર્થન
એનસીપીના વડા શરદ પવારે જયંત પાટીલના નિર્ણયનું સમર્થન કર્યું છે. શરદ પવારે કહ્યું કે અમે તેમના નિર્ણયનું સમર્થન કરીશું. અમે નવું સંગઠન બનાવીશું. તેમણે કહ્યું, “કોણ ગયું અને કોના માટે ગયું તેની અમને ચિંતા નથી કારણ કે અત્યાર સુધી આવું બે-ત્રણ વખત થયું છે. રાજ્યમાં અમારું સંગઠન મજબૂત છે.”
‘અજિત પવારની વાતોનું હવે કોઈ મહત્વ નથી’
શરદ પવારે કહ્યું, “એક વખત હું વિદેશ ગયો ત્યારે ઘણાં લોકોએ પાર્ટી છોડી દીધી હતી, મને કોઈ ચિંતા નથી. અજિત પવારનો નિર્ણય તેમનો અંગત નિર્ણય છે. તેમની વાતોનું હવે કોઈ મહત્ત્વ નથી. લોકોનું સમર્થન અમારી સાથે છે. લોકોનો પ્રેમ મળતો રહેશે તો આખું ચિત્ર બદલી નાખીશું. એનસીપી પણ અમારી સાથે છે. મને પહેલા પણ ધારાસભ્યો છોડી ગયા હોય તેવા 2-3 અગાઉના અનુભવો છે, આગળના પરિણામો સારા રહેશે.”
અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
આ અગાઉ એનસીપી નેતા અજિત પવારે રવિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે પાર્ટીના અન્ય આઠ ધારાસભ્યો પણ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકારમાં જોડાયા હતા. અજિત પવારે કહ્યું કે તમામ ધારાસભ્યો તેમની સાથે છે અને એક પક્ષ તરીકે શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા છે. શપથ લીધા બાદ તેમણે કહ્યું કે તમામ ધારાસભ્યો તેમની સાથે છે. અમે અહીં એક પક્ષ તરીકે આવ્યા છીએ. અમે તમામ વરિષ્ઠોને પણ જાણ કરી દીધી છે. લોકશાહીમાં બહુમતીને મહત્વ આપવામાં આવે છે. અમારી પાર્ટી 24 વર્ષની છે અને યુવા નેતૃત્વએ આગળ આવવું જોઈએ. આગામી વિસ્તરણમાં કેટલાંક વધુ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે.
Advertisement