શરદ પવારે ગયા મહિને પક્ષના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં ભૂકંપ આવ્યો હતો, તે તેમણે રાજીનામું પાછું ખેંચી લીધા પછી જ શમ્યો હતો. જો કે તેના કારણે પાર્ટીમાં આંતરિક હિત સાથે જોડાયેલા મુદ્દા જાહેરમાં આવ્યા હતા. દરમિયાન એનસીપીમાં સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે NCPમાં શરદ પવાર દ્વારા બે કાર્યકારી પ્રમુખ નીમવામાં આવ્યા છે. તેમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેનું નામ પણ સામેલ છે. જ્યારે બીજું નામ પ્રફુલ પટેલનું છે.
Advertisement
Advertisement
દરમિયાન, એનસીપીમાં શરદ પવારના ભત્રીજા અજિત પવારને આ મહત્વનો હોદ્દો ન આપવો તે સ્વયં ઘણાં રાજકીય સંકેતો આપે છે. હકીકતમાં, પવારે આ જાહેરાત NCPની સ્થાપનાની 25મી વર્ષગાંઠના પ્રસંગે કરી હતી. તે દરમિયાન અજિત પવાર જ મંચ પર જ હાજર હતા. પવારે પ્રફુલ્લ પટેલને રાજ્યસભા ઉપરાંત મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, ઝારખંડ, ગોવા રાજ્યોની જવાબદારી સોંપી હતી. જ્યારે સુપ્રિયા સુલેને મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, યુપી અને લોકસભાની જવાબદારી સોંપવામાં આવી છે.
કાર્યકારી પ્રમુખ પદની વહેંચણી અંગે છગન ભુજબળે શું કહ્યું?
દરમિયાન, NCP નેતા છગન ભુજબળે શરદ પવારની જાહેરાત પર પોતાનું નિવેદન આપતા કહ્યું કે કાર્યકારી પ્રમુખની જાહેરાત સાથે ચૂંટણીની કામગીરી અને લોકસભા-રાજ્યસભાની કામગીરી વહેંચાઈ જશે. ચૂંટણી નજીક હોવાથી તેમને વધુ જવાબદારી સોંપવામાં આવી છે. 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ એક મહત્વપૂર્ણ જાહેરાત છે.
અજિત પવાર ભાજપમાં જોડાવાની હતી અટકળો
બે મહિના પહેલા જ શરદ પવારે રાજીનામું પાછું લીધા બાદ અજિત પવાર ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. જો કે, અજિતે આ અટકળોને સ્પષ્ટ રદિયો આપીને કહ્યું હતું કે તે NCPમાં છે અને NCPમાં જ રહેશે. અજિત પવારે કહ્યું કે આવા સમાચાર મુદ્દાઓ પરથી ધ્યાન અન્યત્ર હટાવવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે પાર્ટી જે પણ નિર્ણય લેશે તેની સાથે તેઓ રહેશે.
શરદ પવારના રાજીનામાને અજિતે જ આપ્યું હતું સમર્થન
બે મહિના પહેલા જ્યારે શરદ પવારે અચાનક એનસીપી અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી હતી ત્યારે અજિત પવાર એકમાત્ર એવા નેતા હતા જેમણે શરદ પવારના રાજીનામાને ટેકો આપ્યો હતો અને પક્ષના અન્ય નેતાઓને તેનું સન્માન કરવા કહ્યું હતું. જોકે, બાદમાં શરદ પવારે પાર્ટીના કહેવા પર પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું હતું.
Advertisement