દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન પર રાજકીય ઉહાપોહ જોવા મળી રહ્યો છે. ભાજપ આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ આક્રમક વલણ અપનાવી રહ્યું છે ત્યારે પૂર્વ સાંસદના નિવેદન પર બસપા અધ્યક્ષ માયાવતીની પ્રતિક્રિયા સામે આવી છે. માયાવતીના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધીએ અમેરિકામાં દલિતો અને મુસ્લિમોની હાલત વિશે જે નિવેદન આપ્યું છે તે કડવું સત્ય છે. આ સાથે તેમણે આ માટે તમામ કેન્દ્ર સરકારોને જવાબદાર ગણાવી છે.
Advertisement
Advertisement
બસપાના વડા માયાવતીએ આ મામલાને લઈને શ્રેણીબદ્ધ ટ્વીટમાં લખ્યું છે કે, “ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ દ્વારા અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતના કરોડો દલિતો અને મુસ્લિમોની દયનીય સ્થિતિ અને તેમના જીવન, ધર્મ વગેરેની અસુરક્ષા વિશે આપવામાં આવેલું નિવેદન એક કડવું સત્ય છે. જેના માટે કેન્દ્રની કોંગ્રેસ, ભાજપ અને અન્ય પક્ષોની સરકારો સંપૂર્ણપણે દોષી છે.
આ ઉપરાંત તેમણે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું છે કે, દેશમાં યુપી સહિત અન્ય રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની કે સપાની, બહુમતી બહુજન સમાજના ગરીબો અને વંચિતો પર દરેક સ્તરે અન્યાય-અત્યાચાર અને શોષણ સામાન્ય બાબત છે. જ્યારે યુપીમાં એકમાત્ર બસપાની સરકારમાં કાયદા દ્વારા કાયદાનું શાસન સ્થાપિત કરીને દરેકને ન્યાય આપવામાં આવ્યો હતો.
તેમણે પોતાના છેલ્લી ટ્વીટમાં લખ્યું છે કે, “સાથેજ, રાજકીય અને ચૂંટણીલક્ષી સ્વાર્થ માટે સતત અને અસંખ્ય કોમી રમખાણો અને જાતિવાદી ઘટનાઓના કાળા પ્રકરણોથી ઈતિહાસ ભરેલો છે, જેના માટે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરવામાં આવે છે, પરંતુ આ કારણોસર આ વર્ગના લોકો તેમના હિતનું બંધારણહોવા છતાં સતત શોષિત-પીડિતો અને લાચાર રહે છે.”
Advertisement