કોંગ્રેસે 137 સીટો પર લીડ મેળવી લીધી બીજેપી 62 સીટોમાં સમેટાઇ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં કોંગ્રેસ પાર્ટીએ મોટી જીત હાંસલ કરી છે. કર્ણાટકમાં હાર સાથે જ દક્ષિણ ભારતમાંથી ભાજપનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. કોંગ્રેસની જીત પછી રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીની જીત બાદ કોંગ્રેસ કર્ણાટકમાં ગરીબોની સાથે ઉભી છે. અમે આ યુદ્ધ પ્રેમથી લડ્યા છીએ અને કર્ણાટક બધાને બતાવ્યું છે કે આ દેશ પ્રેમને ઈચ્છે છે. તેમણે કહ્યું કે કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે, પ્રેમની દુકાન ખુલી છે.
Advertisement
Advertisement
તે ઉપરાંત તેમણે કહ્યું કે, અમે કર્ણાટકની જનતાને 5 વચનો આપ્યા હતા, અમે પ્રથમ કેબિનેટમાં પહેલા દિવસે આ વચનો પૂરા કરીશું. જણાવી દઈએ કે, ત્રણ વાગ્યા સુધીમાં કોંગ્રેસે 137 સીટો પર લીડ મેળવી લીધી હતી. તો ભાજપા 62 સીટો સુધી સીમિત રહી હતી. જેડીએસ 20 તો અન્ય 4 સીટો પર લીડ મેળવી હતી.
કોંગ્રેસની જીત બાદ કર્ણાટકમાં સીએમ પદ કોને મળશે તે જોવું રસપ્રદ રહેશે. જોકે, કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્રએ આ પદ પર પિતાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, “એક પુત્ર તરીકે હું ઈચ્છું છું કે તે (સિદ્ધારમૈયા) સીએમ બને અને એક નાગરિક તરીકે પણ હું ઈચ્છું છું કે તે સીએમ બને કારણ કે આ જીતમાં તેમનો મોટો ફાળો છે”
બેંગલુરુમાં મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આગામી દિવસોમાં પણ જ્યાં પણ રાજ્યની ચૂંટણીઓ યોજાશે, અમે કર્ણાટકની જેમ ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસ કરીશું. અહીં ધારાસભ્યોની બેઠક થશે, (મુખ્યમંત્રીના નામે) બધાની સહમતિ હાઈકમાન્ડ સમક્ષ મૂકવામાં આવશે. હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લેશે.
બેંગલુરુમાં મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આગામી દિવસોમાં પણ જ્યાં પણ રાજ્યની ચૂંટણીઓ યોજાશે, અમે કર્ણાટકની જેમ ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસ કરીશું. અહીં ધારાસભ્યોની બેઠક થશે, (મુખ્યમંત્રીના નામે) બધાની સહમતિ હાઈકમાન્ડ સમક્ષ મૂકવામાં આવશે. હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લેશે.
રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતુ કે, ગરીબ જનતાએ પૂંજીવાદી શક્તિને માત આપી છે. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબો સાથે ઉભી છે. અમે આ લડાઇ પ્રેમથી જીતી છે. કર્ણાટકે દેખાડ્યું કે આ દેશને મોહબ્બત સારી લાગી છે. આ સાથે તેમને કહ્યું કે, કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થયું, મોહબ્બતની દુકાન ખુલી ગઈ છે.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બી.એસ. યેદિયુરપ્પાએ કહ્યું કે ભાજપ માટે જીતવું કે હારવું એ મોટી વાત નથી. 2 બેઠકોથી શરૂ થયેલી ભાજપ આજે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. કામદારોએ દુઃખી થવાની જરૂર નથી. અમે અમારી હાર પર પુનર્વિચાર કરીશું. અમે લોકોના ચુકાદાનું સન્માન કરીએ છીએ અને અમને મત આપવા બદલ અમે લોકોનો આભાર માનીએ છીએ.
કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે આ ચૂંટણીનું પરિણામ લોકસભાની ચૂંટણી માટે એક પગથિયું છે. હું આશા રાખું છું કે તમામ બિન-ભાજપ પક્ષો સાથે આવશે. મને આશા છે કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બની શકે છે.
કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર જીત બાદ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું, “હું મારા કાર્યકર્તાઓ અને મારા પક્ષના નેતાઓને શ્રેય આપું છું જેમણે આટલી મહેનત કરી છે, લોકોએ જૂઠાણાંનો પર્દાફાશ કર્યો છે… મેં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને જીતની ખાતરી આપી હતી. હું ભૂલી શકતો નથી કે જ્યારે સોનિયા ગાંધી જેલમાં મને મળવા આવ્યા હતા, ત્યારે મેં હોદ્દો સંભાળવાને બદલે જેલમાં જ રહેવાનું પસંદ કર્યું હતું, પાર્ટીને મારામાં એટલો જ વિશ્વાસ હતો.”
અશોક ગેહલોતે કહ્યું, “શ્રી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન કર્ણાટકમાં જે વાતાવરણ દેખાતું હતું તે આજે કર્ણાટકના ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટપણે દેખાય છે. યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે, શ્રી રાહુલ ગાંધી અને શ્રીમતી પ્રિયંકા ગાંધીના નેતૃત્વ હેઠળ, કોંગ્રેસના નેતાઓએ એક મહાન અભિયાન કર્યું. કર્ણાટકે સાંપ્રદાયિક રાજનીતિને ફગાવીને વિકાસની રાજનીતિ પસંદ કરી છે. આગામી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં પણ તેનું પુનરાવર્તન થશે.
Advertisement