કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પર વાંધાજનક નિવેદન આપ્યું છે. કર્ણાટક ચૂંટણીના સંગર્ભમાં હાવેરીમાં એક જનસભા દરમિયાન ખડગેએ પીએમ મોદીની તુલના ઝેરીલા સાપ સાથે કરી હતી.
આ એક એવું નિવેદન છે જેના આધારે કોંગ્રેસને આવનારા દિવસોમાં મુશ્કેલી પડી શકે છે. અગાઉ ગુજરાતની ચૂંટણીમાં પણ ખડગેએ પીએમ મોદીની તુલના રાવણ સાથે કરી હતી.
કેન્દ્રીય મંત્રી અને ભાજપાના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું છે કે કોંગ્રેસ સત્તા માટે ગુસ્સામાં આવીને આવા નિવેદનો કરી રહી છે. મોદી પર ખડગેના સાપની ટિપ્પણી પર વળતો પ્રહાર કરતા ઠાકુરે કહ્યું કે કોંગ્રેસને અહેસાસ થઈ ગયો છે કે તે કર્ણાટક ચૂંટણીમાં ખરાબ રીતે હારી રહી છે. આ જ કારણ છે કે કોંગ્રેસના નેતાઓ ઉલટું વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે.
Advertisement