NCP સાંસદ અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ મોટું નિવેદન આપ્યું છે. સુપ્રિયા સુલેએ કહ્યું કે NCPમાં કોઈ મતભેદ નથી. NCPમાં તિરાડ પર બોલતા સુપ્રિયા સુલેએ કહ્યું કે પાર્ટીમાં કોઈ ભંગાણ નથી. અમે બધા એક છીએ. આજે પણ અમારી પાર્ટી એક છે. ભાજપ સાથે અમારું કોઈ ગઠબંધન નથી. એનસીપીનું એક જૂથ સત્તામાં છે અને એક વિપક્ષમાં છે. અમારો પક્ષ તૂટ્યો નથી. અજિત પવાર એનસીપીના વરિષ્ઠ નેતા છે.
Advertisement
Advertisement
સુપ્રિયા સુલે પૂણે પહોંચ્યા હતા
સુપ્રિયા સુલે એક કાર્યક્રમમાં હાજરી આપવા પૂણે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, NCPમાં કોઈ મતભેદ નથી. અમારા પક્ષના કેટલાંક નેતાઓએ અલગ રસ્તો અપનાવ્યો છે. અમે આ અંગે વિધાનસભા અધ્યક્ષને પણ ફરિયાદ કરી છે. અજિત પવાર અમારી પાર્ટીના વરિષ્ઠ નેતા છે, જેમણે અલગ રસ્તો અપનાવ્યો છે. શરદ પવાર અમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને જયંત પાટીલ પ્રદેશ અધ્યક્ષ છે. NCP પ્રમુખ શરદ પવાર ભત્રીજા અજિત પવારના બળવા બાદ પાર્ટીને ફરીથી બનાવવાના પડકાર સામે લડી રહ્યા છે એવા સમયે સુપ્રિયા સુલેનું આ નિવેદન આવ્યું છે.
અજિત પવારે બળવો કર્યો હતો
અજિત પવારે 2 જુલાઈના રોજ તેમના કાકા શરદ પવાર સાથે બળવો કર્યો અને મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારમાં જોડાઈ ગયા હતા. પવારે ડેપ્યુટી CM તરીકે શપથ લીધા હતા અને તેમની સાથે 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. અજિત પવારે દાવો કર્યો હતો કે તેમની પાસે 40 ધારાસભ્યોનું સમર્થન છે. આ મામલે બંને પક્ષોએ ચૂંટણી પંચનો સંપર્ક પણ કર્યો છે.
ચંદ્રયાન-3ની સફળતા પર બોલતાં સુપ્રિયા સુલેએ કહ્યું કે આ સિદ્ધિ ઈસરોની છે. ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રથમ વડા પ્રધાન તરીકે વિજ્ઞાનને પ્રોત્સાહન આપ્યું હતું.
Advertisement