મુંબઇ, મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી મોટા સમાચાર આવી શકે છે.
મંત્રી ઉદય સામંતે દાવો કર્યો છે કે પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું જૂથ અને મોટી સંખ્યામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો સીએમ એકનાથ શિંદેના સંપર્કમાં છે.
આ વાત એવા સમયે આવી છે જ્યારે પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવારથી લઈને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને લઈને અલગ-અલગ તર્ક લગાવવામાં આવી રહ્યા છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સામંતે કહ્યું કે ઠાકરે જૂથના ૧૩ ધારાસભ્યો અને એનસીપીના ૨૦ ધારાસભ્યો શિવસેના એટલે કે સીએમ શિંદેના સંપર્કમાં છે.
સામંતે અગાઉ દાવો કર્યો હતો કે ઠાકરે અને શિંદે મહાબળેશ્વરમાં ગુપ્ત રીતે મળ્યા હતા. ગયા વર્ષે જૂન-જુલાઈમાં શિંદેના નેતળત્વમાં લગભગ ૪૦ ધારાસભ્યોએ બળવો કર્યો હતો, ત્યારબાદ રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર પડી ગઈ હતી. સંજય રાઉત શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતના દાવાએ મહારાષ્ટ્રની વર્તમાન સરકારના પતનની આગાહી કરી છે.
Advertisement