સંસદનું પાંચ દિવસીય વિશેષ સત્ર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે જુના બિલ્ડીંગમાં કાર્યવાહી ચાલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ચર્ચાની શરૂઆત કરી. જ્યારે સંસદના વિશેષ સત્રમાં વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે નેહરુજીનું માનવું હતું કે વિપક્ષ મજબૂત ન હોય તો તે યોગ્ય નથી. હવે જ્યારે એક મજબૂત વિપક્ષ છે તો તેને તપાસ એજન્સીઓના માધ્યમથી નબળો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
Advertisement
Advertisement
ખડગેઃ અમે ઈન્ડિયા છીએ
તેમણે કહ્યું કે અહીં મને ઓછા નેતાઓને સાંભળવાનો મોકો મળ્યો. જ્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા ત્યારે દેશનો પાયો નાખવામાં આવી રહ્યો હતો. જે પથ્થરો પાયામાં પડેલા હોય છે તે દેખાતા નથી. દિવાલ પર જે લખાય છે તે જ દેખાય છે. તેમણે અધ્યક્ષને કહ્યું કે તમે ખૂબ જ દયાળુ હૃદયના છો. હું તમને સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢાને પાછા બોલાવી લેવા માટે વિનંતી કરું છું. તમે અમીર છો, ગરીબ છો, શિક્ષિત હોવ કે અભણ, તમારો મત એક જ રહેશે. અદાણી જેવા અમીર લોકોનો પણ એક જ મત છે. તમે તેને ઈન્ડી બોલો કે બીજું કશું બોલો, અમે લોકો ઈન્ડિયા છીએ. નામ બદલવાથી કંઈ થતું નથી.
बुनियाद के अंदर जो मज़बूत पत्थर जातें हैं, वो दिखते नहीं।
और पर जब दीवार पर आप नाम लगाते हैं, वो ही दिखते है।बिलकुल ऐसा काम कांग्रेस ने देश में लोकतंत्र की नींव, देश के संविधान की बुनियाद रखी।
स्वतंत्रता, समानता, न्याय, मानवीय गरिमा और लोकतंत्र उनकी नसों में समाया था… pic.twitter.com/WcxG1o71fp
— Mallikarjun Kharge (@kharge) September 18, 2023
ખડગેએ વધુમાં કહ્યું કે ઘણાં લોકો માનતા હતા કે ભારત અંગૂઠા છાપ દેશ છે. અમને વારંવાર ટોકવામાં આવે છે કે અમે છેલ્લાં 70 વર્ષમાં શું કર્યું. અમે 70 વર્ષમાં લોકતંત્રને મજબૂતી આપી. તમારી પાસે બોલવા માટે કંઈ ન હોય તો તમે તે જ કહી દો.
75 વર્ષમાં આ દેશની સૂરત બદલી
મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું કે આપણા દેશમાં સત્તાનું હસ્તાંતરણ બળના આધારે થયું નથી. ગાંધીજીએ જે સ્વતંત્રતા પ્રાપ્ત કરી તે અહિંસા પર આધારિત હતી. આ ઈમારતમાં 75 વર્ષ દરમિયાન દેશનો ચહેરો બદલાઈ ગયો છે. આપણે ઝડપથી પ્રગતિ કરી શકીએ તે માટે નહેરુજી સૌને સાથે લઈને ચાલતા હતા. તેમણે પોતાની પ્રથમ કેબિનેટમાં વિપક્ષના લોકોને સામેલ કર્યા હતા. તમે તો અમારો પડછાયો પણ જોવા નથી માંગતા.
ગૃહે દેશને ઘણું આપ્યું
દરમિયાન, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજને કહ્યું કે આ ગૃહે દેશને ઘણું આપ્યું છે. બેંકનું સરકારીકરણ આ ગૃહથી જ થયું. આઈટી ક્ષેત્રે આ ગૃહ ક્રાંતિ લાવ્યું. ડિજિટલ ઈન્ડિયા અને પંચાયતી રાજ લાવનારા રાજીવ ગાંધી હતા. દેશમાં સામાજિક ક્રાંતિ લાવવાનું કામ રાજીવ ગાંધીએ કર્યું હતું. માહિતીનો અધિકાર લાવવાનું કામ કોંગ્રેસ સરકારે કર્યું હતું. મનરેગા કાયદો લાવવાનું કામ કોંગ્રેસ સરકારે કર્યું હતું. કોંગ્રેસની સરકાર વખતે ખાદ્ય સુરક્ષા કાયદો લાવવામાં આવ્યો હતો.
Advertisement