ચૂંટણી પંચ કોઈપણ સમયે છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. તે પહેલા રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પીએમ મોદી સતત ચૂંટણી રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે. સાથે જ કોંગ્રેસ પણ ચૂંટણી મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં “ભરોસે કા સંમેલન” નામના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ અવસરે એક જાહેરસભાને સંબોધતા તેમણે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Advertisement
Advertisement
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ રાયગઢમાં ભરોસે કા સંમેલનમાં પોતાના સંબોધનની શરૂઆત જય જોહર જય છત્તીસગઢ મહતારી સાથે કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે છત્તીસગઢના મુખ્યમંત્રી બઘેલ છે, તેઓ પછાત વર્ગ (ઓબીસી)માંથી આવે છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે, તેઓ ધનગર સમુદાયમાંથી આવે છે જેનો ઓબીસી સાથે સંબંધ છે. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ OBC કેટેગરીના છે, અમારી પાસે 4 મુખ્યમંત્રીઓ છે જેમાંથી 3 પછાત વર્ગમાંથી આવે છે અને તમારી જગ્યાએ કોઈપણ OBC/SC માટે અંતર એટલું રહે છે કે મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી તેમની સાથે વાત નથી કરતા. વડાપ્રધાન તેમને દૂરથી દર્શન આપે છે… નજીક જવું ખૂબ મુશ્કેલ છે. અમારા નેતા, રાહુલ ગાંધી લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે… અમારા નેતાઓ લોકોની નજીક છે, તેઓ દૂરદર્શન આપતા નથી.
આ સિવાય ખડગેએ કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે દેશમાં દરેકને મતદાનનો અધિકાર મળ્યો તે પંડિત જવાહર લાલ નેહરુ અને ડૉ. આંબેડકરના કારણે મળ્યો છે. આઝાદી મળ્યા પછી 21 વર્ષના તમામ સ્ત્રી-પુરુષને મત આપવાનો અધિકાર મળ્યો જ્યારે અન્ય દેશોમાં લોકોને આઝાદી મળ્યાના ઘણાં વર્ષો પછી મતદાનનો અધિકાર મળ્યો, શું તે સમયે મોદીજી ત્યાં હતા? કે પછી અમિત શાહ હતા ? અમે બધું કરીને આપ્યું. જો અમે આ લોકશાહી – બંધારણને બચાવ્યું ન હોત તો મોદી-શાહ જેવા લોકો વડાપ્રધાન અને ગૃહમંત્રી બની શક્યા ન હોત, આ અમારું યોગદાન છે, અમારી ભેટ છે, તેથી અમારો આભાર માનવો જોઈએ.
Advertisement