દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર નેશનલ કેપિટલ સિવિલ સર્વિસિસ ઓથોરિટી બનાવવા માટે એક વટહુકમ લાવી છે, જેની પાસે દિલ્હીમાં ફરજ બજાવતા DANICS ના તમામ અધિકારીઓ અને ગ્રુપ A અધિકારીઓની બદલી અને પોસ્ટિંગની ભલામણ કરવાની સત્તા હશે. ચોમાસુ સત્રમાં કેન્દ્ર લોકસભા અને રાજ્યસભામાં આ વટહુકમ પસાર કરાવવાનો પ્રયાસ કરશે. પરંતુ તે પહેલા કેજરીવાલ સતત વિરોધ પક્ષોના નેતાઓને મળી રહ્યા છે અને તેમનો સહકાર માંગી રહ્યા છે. આ ક્રમમાં હવે કેજરીવાલે નેતાઓને પત્ર લખ્યો છે.
Advertisement
Advertisement
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 23 જૂને પટણામાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં કેન્દ્રના વટહુકમ પર ચર્ચા કરાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. સીએમ કેજરીવાલે ઘણા વિરોધ પક્ષોને સતત વિનંતી કરી છે કે 23 જૂને દિલ્હી વટહુકમ પર ચર્ચા થવી જોઈએ. તેના માટે હવે કેજરીવાલે વિરોધ પક્ષોને પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં કેજરીવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે 23 જૂન 2023ના રોજ બિહારમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક સંસદમાં વટહુકમને હરાવવા વિશે પ્રથમ ચર્ચા થવી જોઈએ. બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ (યુનાઈટેડ)ના નેતા નીતીશ કુમારે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે સંયુક્ત વ્યૂહરચના ઘડવા 23 જૂને વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે.
પ્રયોગ સફળ થશે તો તેને બિન-ભાજપ રાજ્યોમાં લાગુ કરાશે.
કેજરીવાલે આગળ લખ્યું કે દિલ્હી વટહુકમ એક પ્રયોગ છે, જો આ પ્રયોગ સફળ થશે તો કેન્દ્ર સરકાર બિન-ભાજપ રાજ્યો માટે સમાન વટહુકમ લાવીને રાજ્ય સરકારની સત્તા છીનવી લેશે. દિલ્હીના સીએમએ વધુમાં કહ્યું કે તે દિવસ દૂર નથી જ્યારે વડાપ્રધાન 33 રાજ્યપાલો અને એલજી દ્વારા તમામ રાજ્ય સરકારો ચલાવશે.
Advertisement