ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર કોંગ્રેસ પાર્ટી પ્રારંભિક વલણમાં બહુમતીની ખૂબ નજીક છે. કોંગ્રેસ પાર્ટીને 113 સીટો પર સરસાઈ મળી છે. રાજ્યમાં 73 બેઠકો પર ભાજપના ઉમેદવાર આગળ છે. જેડીએસના ઉમેદવારો 24 બેઠકો પર આગળ છે.
Advertisement
Advertisement
ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે કહ્યું, “ભાજપના માથા પર બજરંગબલીની ગદા પડી છે. જો કર્ણાટકમાં કોંગ્રેસ જીતી રહી છે, તો તે મોદી અને અમિત શાહની હાર છે. જો તેઓ બજરંગબલીને આગળ મૂકશે તો 2024ની ચૂંટણીની આ દિશા છે.”
કોંગ્રેસ કર્ણાટકમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી શકે છે. આવી સ્થિતિમાં પાર્ટીએ પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા તૈયારીઓ કરી લીધી છે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, કોંગ્રેસે હૈદરાબાદમાં એક રિસોર્ટ બુક કરાવ્યો છે.
Advertisement