દિલ્હી: મણિપુર હિંસા અંગે વિપક્ષ મોદી સરકારને સતત ઘેરી રહ્યો છે. હવે જ્યારે વિપક્ષી પ્રતિનિધિમંડળ મણિપુર પ્રવાસથી પરત ફર્યું છે, ત્યારે તમામ નેતાઓ પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. આ સાથે જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં પરિસ્થિતિ કેટલી વણસી ચૂકી છે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર ઘણાં મહત્વના મુદ્દા મુક્યા છે. તેમણે કેવી રીતે ગઠબંધન ઈન્ડિયાના અમારા સાંસદોએ મણિપુરના લોકો સાથે વાત કરી અને હૃદયને હચમચાવી દે તેવી વાતો સાંભળી તેના વિશે જણાવ્યું હતું.
Advertisement
Advertisement
મણિપુર પર વિપક્ષી સાંસદોની બેઠક
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં મણિપુરની મુલાકાતે ગયેલા તમામ વિપક્ષી સાંસદો બેઠેલા જોવા મળે છે. આ બેઠકમાં ખડગેએ પણ ભાગ લીધો હતો. બેઠકમાં સાંસદોએ મણિપુરમાં વર્તમાન સ્થિતિ શું છે તે વીડિયો અને તસવીરો દ્વારા જણાવ્યું હતું. ખડગેએ પોતાના ટ્વિટમાં આ વાતચીતનો ઉલ્લેખ કર્યો છે. મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર લખ્યું, “મણિપુરમાં સતત ઉથલપાથલ ચાલુ છે. મોદી સરકાર તેના પ્રત્યે ઉદાસીન દેખાઈ રહી છે. અમારા ગઠબંધનના સાંસદોએ રાજ્યની મુલાકાત લીધી અને તમામ સમુદાયોના લોકોની હૃદયદ્રાવક વાતો સાંભળી.”
While Manipur faced turmoil, the Modi Government appeared indifferent.
Our INDIA alliance MPs, after visiting the state, heard heart-wrenching stories of pain from the people. They engaged with all communities.
▫️ Over 50,000 people, including 10,000 innocent children, are in… pic.twitter.com/ZgCEozt2sA
— Mallikarjun Kharge (@kharge) July 31, 2023
10 હજાર માસૂમ બાળકો સહિત 50 હજારથી વધુ લોકો અપૂરતી સુવિધાઓ સાથે રાહત શિબિરોમાં રહે છે. ખાસ કરીને મહિલાઓ માટે સુવિધાઓનો અભાવ છે, જ્યારે લોકોને દવાઓ અને ખોરાકની અછતનો સામનો કરવો પડે છે. મણિપુરમાં આર્થિક પ્રવૃત્તિ ઠપ્પ થઈ ગઈ છે, બાળકો શાળાએ જઈ શકતા નથી, ખેડૂતોએ ખેતી કરવાનું બંધ કરી દીધું છે અને લોકો આર્થિક નુકસાન અને માનસિક તકલીફ બંનેનો સામનો કરી રહ્યા છે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે બે સમુદાયો વચ્ચે વિભાજન છે.
Advertisement