હવે કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને તમામ પરીક્ષાઓમાં બેસી શકશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને રાજ્યની તમામ પરીક્ષાઓમાં હિજાબ પહેરીને બેસવાની છૂટ આપવામાં આવશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી સુધાકરે પણ જાહેરાત કરી હતી કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે હવે તેઓ તમામ પરીક્ષાઓમાં હિજાબ પહેરીને ભાગ લઈ શકશે.
Advertisement
Advertisement
તમામ પરીક્ષાઓમાં હિજાબ પહેરવાની પરવાનગી
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, તેમણે કહ્યું કે કર્ણાટકમાં શાળાઓ અને કોલેજો સિવાય, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં છોકરીઓને હિજાબ પહેરીને બેસવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અગાઉ, કેન્દ્ર સરકારે હિજાબ પહેરીને NEET પરીક્ષા આપવાની મંજૂરી આપી હતી, તેથી કોંગ્રેસ સરકારનો નિર્ણય કોઈપણ રીતે અયોગ્ય નથી.
હિન્દુ સંગઠનોની વિરોધ દેખાવો કરવાની જાહેરાત
દરમિયાન હિન્દુ સંગઠનોએ આ નિર્ણયનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જાન્યુઆરીમાં ઉડુપી જિલ્લાની એક સરકારી હાઈસ્કૂલમાં હિજાબ પહેરેલી છ વિદ્યાર્થિનીઓને શાળામાં પ્રવેશતી અટકાવવામાં આવી હતી. આ મામલાને લઈને ઘણી રાજનીતિ થઈ હતી અને તે પછી મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો.
ગયા વર્ષે હિજાબ અંગે વિવાદ થયો હતો
આ પછી, કર્ણાટકમાં હિજાબને લઈને મોટો વિવાદ થયો હતો અને કર્ણાટક સરકારે શાળાઓમાં વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય બાદ સમગ્ર રાજ્યમાં કર્ણાટક સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા અને મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ક્લાસરૂમમાં હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ હટાવવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
Advertisement