ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી 7 જુને જયપુરમાં સરકારી સચિવાલયનો ઘેરાવો કરશે. આ અંગે માહિતી આપતાં વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં મુખ્યમંત્રીના શાસનમાં આઈટી વિભાગમાં હજારો કરોડના કૌભાંડો થયા છે.
આ કૌભાંડોના વિરોધમાં 7 જુને ભાજપના મુખ્યાલયથી સરકારી સચિવાલય સુધી પગપાળા માર્ચ કાઢવામાં આવશે અને ત્યારબાદ સરકારી સચિવાલયની બહાર વિરોધ પ્રદર્શન કરાશે. રાઠોડે જણાવ્યું કે આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી કરશે.
તેમણે કહ્યું કે, યોજના ભવનના ભોંયરામાં રાખવામાં આવેલા કબાટમાંથી 2.31 કરોડ રોકડા અને એક કિલો સોનું મળી આવતાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે કરોડો રુપિયાના કૌભાંડો મુખ્યમંત્રીના નાક નીચે થઈ રહ્યા છે અને તેમ છતાં તેઓ ચૂપ રહ્યા છે.
વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે, ડો.કિરોડીલાલ મીણાએ રાજ્ય સરકારના આઈટી વિભાગમાં ચાર મોટા કૌભાંડોનો ખુલાસો કર્યો છે. આ કૌભાંડોના પૂરતા પુરાવા પણ રજૂ કરાય છે, જેમાં સાડા ત્રણ હજાર કરોડ રુપિયાના કૌભાંડો સામે આવ્યા છે. એ જ રીતે સરકારના અન્ય વિભાગોમાં થયેલા ડઝનબંધ કૌભાંડોના દસ્તાવેજો પણ ભાજપ પાસે છે. હવે દર અઠવાડિયે સરકારનો પર્દાફાશ કરતી વખતે મોટા કૌભાંડોનો પર્દાફાશ કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. 7 જુનને યોજાનાર પ્રદર્શનમાં જયપુરના ભાજપાના નેતાઓ અને કાર્યકરો જ ભાગ લેશે.
રાજેન્દ્ર રાઠોડનું કહેવું છે કે, મુખ્યમંત્રીએ તેમના બજેટની જાહેરાતમાં કરોડો રુપિયાના કૌભાંડો સાથે વિભાગને મહત્તમ બજેટ આપ્યું છે. તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં આઈટી વિભાગમાં રુ.37, 250 કરોડની બજેટ જોગવાઈ રાખવામાં આવી છે.
Advertisement