શનિવારે ચિત્તોડગઢના પોલીસ સ્ટેશનમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને જોધપુરના લોકસભા સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવત વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
Advertisement
Advertisement
શનિવારે ચિત્તોડગઢમાં બીજેપીની જન આક્રોશ રેલી યોજાઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ જનતાને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. પોતાના ભાષણમાં તેમણે રાજસ્થાન સરકાર પર આરોપોનો મારો કર્યો હતો. જેમાં તેમણે સીએમ અશોક ગેહલોતને રાજનીતિના રાવણ ગણાવ્યા છે. હવે આ મામલે ચિત્તોડગઢમાં તેમના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
આ FIR રાજસ્થાન હેરિટેજ પ્રેસિડેન્ટ સુરેન્દ્ર સિંહ જાદાવતે નોંધાવી છે અને FIR ચિત્તોડગઢ સદર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ગજેન્દ્ર સિંહ શેખાવતના આ નિવેદન પર સીએમ અશોક ગેહલોતે પલટવાર કરતા કહ્યું કે, જો હું રાવણ છું તો તમે રામ બનો. 2.5 લાખ લોકોના પૈસા પરત કરો.
રાજસ્થાનમાં ઘણા સમયથી સીએમ અશોક ગેહલોત અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત વચ્ચે શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને એકબીજા પર પ્રહાર કરવાની કોઈ તક છોડતા નથી. રાજસ્થાનમાં સંજીવની કૌભાંડ બાદ બંને નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે. બીજી તરફ ERCP ના મુદ્દે ગેહલોત અને શેખાવત વચ્ચે પણ શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.
Advertisement