મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં કેટલાક યુવકોના વોટ્સએપ સ્ટેટસ પર ઔરંગઝેબની તસવીર લગાવવાના મામલે ભારે હોબાળો થયો હતો, ત્યારબાદ જિલ્લા પ્રશાસને કલમ 144 લગાવી દીધી છે અને ઈન્ટરનેટ સેવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઔરંગઝેબની એન્ટ્રી થઈ છે. કોલ્હાપુરની ઘટના અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઔરંગઝેબના સંતાનો પેદા થઈ ગયા છે. હવે તેમના નિવેદન પર ઓવૈસીએ વળતો પ્રહાર કર્યો છે.
Advertisement
Advertisement
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવેદન પર, AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વળતો પ્રહાર કર્યો અને પ્રશ્ન કર્યો કે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવીસે “ઔરંગઝેબની ઓલાદ” કહ્યું. હું જાણતો ન હતો કે તમે (દેવેન્દ્ર ફડણવીસ) આટલા બધા નિષ્ણાત છો. તો પછી કહો કે ગોડસે અને આપ્ટેની ઓલાદ કોણ છે?
રાઉતે પણ નિશાન સાધ્યું હતું
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ફાટી નીકળેલી હિંસાથી હવે રાજકારણ ગરમાયું છે. આ મામલે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે કોલ્હાપુરમાં જે રીતે રમખાણો ભડકયા છે કે ભડકાવવામાં આવ્યા છે તેની પાછળ કોણ છે? 400 વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં જે ઔરંગઝેબને આપણે દફનાવી દીધા હતા તેમને રાજકીય સ્વાર્થ માટે જીવિત કરવામાં આવી રહ્યા છે કારણ કે જો કર્ણાટકમાં બજરંગ બલીનો જાદુ ન ચાલ્યો તો તમે ઔરંગઝેબ વિશે રાજનીતિ કરી રહ્યા છો, તેના માટે તમે (ભાજપ) જ જવાબદાર છો.
ફડણવીસના આ નિવેદન પર થયો હંગામો
તાજેતરમાં, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોલ્હાપુરની ઘટના વિશે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઔરંગઝેબની ઓલાદો જન્મી છે. તેઓ ઔરંગઝેબનો ફોટો બતાવે છે, રાખે છે અને સ્ટેટસમાં મૂકે છે. તેના કારણે સમાજમાં દુર્ભાવના અને તંગદિલી સર્જાઈ રહી છે. સવાલ એ છે કે અચાનક ઔરંગઝેબની આટલી બધી ઓલાદો જન્મી ક્યાંથી ? તેનો અસલી માલિક કોણ છે તેને અમે શોધીશું, પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કાયદો હાથમાં ન લેવા લોકોને અપીલ કરવામાં આવી છે.
Advertisement