દિલ્હીઃ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ બાદ બીજેપી સતત આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. ભાજપ અને AAPના નેતાઓ સાંસદ સંજય સિંહની ધરપકડને લઈને એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ખુલ્લેઆમ કૌભાંડ કરવા અને પકડાઈ ગયા બાદ રાજનીતિ કરવી તે આમ આદમી પાર્ટીનો સ્વભાવ છે.
Advertisement
Advertisement
‘કિંગપિન’નો પણ વારો આવશે
છત્તીસગઢના રાયપુર પહોંચેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે લોકો અરવિંદ કેજરીવાલ પર હસી રહ્યા છે અને તેમના ચહેરા પરનો તણાવ જોઈ રહ્યા છે. જેના નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી જેલમાં હોય, પણ કિંગપિન બહાર છે, કિંગપિનનો નંબર પણ આવશે.. અરવિંદ કેજરીવાલ જેમને – જેમને ઈમાનદારીના સર્ટિફિકેટ વહેંચતા રહ્યા, તેઓ એક વર્ષથી જેલમાં છે.
સંબીત પાત્રાએ પણ નિશાન સાધ્યું
દિલ્હી આબકારી નીતિ મુદ્દે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે 2022માં CBIએ દિલ્હી શરાબ કૌભાંડમાં કેસ નોંધ્યો હતો. આ કૌભાંડમાં મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું, તેથી EDએ પણ કેસ નોંધ્યો હતો. મનીષ સિસોદિયા અને આ કેસ સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓ, કેટલાક બિઝનેસમેન જેલમાં ગયા. ધરપકડ કરાયેલા એક બિઝનેસમેનનું નામ દિનેશ અરોરા છે. તેમણે કહ્યું કે તેઓ સરકારી સાક્ષી બનશે, સરકારી સાક્ષી બનીને તેમણે ઘણી મોટી વાતોનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે સંજય સિંહ તેમને 2020માં મળ્યા હતા. દિનેશ અરોરા દિલ્હીમાં રેસ્ટોરન્ટ ચલાવે છે, સંજય સિંહે તેમને કહ્યું હતું કે ચૂંટણી નજીક આવી રહી છે અને તેણે મોટી રકમ એકઠી કરવી છે. દિનેશ અરોરાએ મોટી રકમ એકઠી કરી હતી.
અમારા લોકોની બળજબરીથી ધરપકડ કરવામાં આવી રહી છે – કેજરીવાલ
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં EDના દરોડા બાદ સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈકાલે સાંજે તેમના ઘરે પહોંચ્યા અને તેમના પરિવારના સભ્યોને મળ્યા, ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. સૌ જાણે છે કે પ્રામાણિકતાનો માર્ગ ખૂબ મુશ્કેલ છે. આજે આપણે ઈમાનદારીનો માર્ગ છોડી દઈએ તો આપણી બધી સમસ્યાઓનો અંત આવી જશે. તેમની દુઃખતી રગ એ છે કે તે લોકો માથાથી પગ સુધી ભ્રષ્ટાચારી છે અને તેમની પાસે આપણી પ્રામાણિકતાનો કોઈ મુકાબલો નથી. આ લોકોએ અમને બદનામ કરવાના તમામ શક્ય પ્રયાસો કર્યા છે. છેલ્લાં એક વર્ષથી તેઓ શરાબ કૌભાંડનો રાગ આલાપી રહ્યા છે. આ લોકોએ હજારો દરોડા પાડ્યા. પરંતુ તેમને કંઈ મળ્યું નહીં. બસ લોકોની બળજબરીપૂર્વક ધરપકડ કરવામાં આવી રહી છે.
મોદીજી સ્વતંત્ર ભારતના સૌથી ભ્રષ્ટ વડાપ્રધાન છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે આજે તેઓએ સંજય સિંહની ધરપકડ કરી છે. નરેન્દ્ર મોદીના ભ્રષ્ટાચાર સામે દેશનો સૌથી બુલંદ અવાજ સંજય સિંહ છે. મોદીજી માથાથી પગ સુધી ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. મને લાગે છે કે મોદીજી સ્વતંત્ર ભારતના સૌથી ભ્રષ્ટ વડાપ્રધાન છે. આવતીકાલે જ્યારે તેમની સરકાર નહીં હોય અને તેમના કાર્યોની તપાસ થશે ત્યારે ખબર પડશે કે તેઓએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે. સંજય સિંહનો અવાજ સંસદની અંદર અને બહાર ભ્રષ્ટાચાર સામે હતો જે મોદીજીથી સહન થઈ રહ્યું ન હતું.
.
Advertisement