દિલ્હીઃ AICC કાર્યાલયમાં આજે સવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ રાહુલ ગાંધીએ મહત્વની પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મોટી જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે આ બેઠક ઐતિહાસિક છે કારણ કે આ બેઠકમાં ઘણાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાહુલે કહ્યું કે અમે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં જાતિ આધારિત વસતિ ગણતરી અંગે ચર્ચા થઈ અને બધાએ તેને સમર્થન આપ્યું છે. કોંગ્રેસના મુખ્યમંત્રીઓ પણ તેમના રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનું કામ કરાવશે.
Advertisement
Advertisement
દેશ જાતિ આધારિત વસ્તી ગણતરી ઈચ્છે છે
બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ચાર કલાક સુધી જાતિ આધારિત વસતિ ગણતરી પર ચર્ચા થઈ હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ એક નિર્ણય લીધો છે, અમારા મુખ્યમંત્રીઓએ પણ નિર્ણય લીધો છે કે તેઓ તેમના રાજ્યોમાં પણ જાતિ આધારિત વસતિ ગણતરીને આગળ વધારશે. કૉંગ્રેસ પ્રમુખે, નિર્ણય લેતી અમારી સૌથી મોટી કાર્યકારી સમિતિએ નિર્ણય લીધો છે કે અમે જાતિ આધારિત વસતિ ગણતરી કરાવીશું અને તે કરાવવા માટે ભાજપ પર પણ દબાણ લાવીશું અને જો તેઓ તેમ નહીં કરે તો તેમણે પાછળ હટી જવું જોઈએ કારણ કે દેશ જાતિ આધારિત વસતિ ગણતરી ઈચ્છે છે. INDIA ગઠબંધન તેને સમર્થન આપશે.
कांग्रेस अध्यक्ष ने यह निर्णय लिया है कि हम जाति आधारित गणना को लागू करेंगे।
हम BJP पर दबाव बनाकर, उनसे ये काम कराएंगे। अगर ये काम BJP नहीं करती है, तो वे रास्ता छोड़ दें।
INDIA गठबंधन की बहुत सारी पार्टियां जाति आधारित गणना का समर्थन करेंगी। एक-दो पार्टियों की राय अलग हो सकती… pic.twitter.com/uiFxq8J9wv
— Congress (@INCIndia) October 9, 2023
રાહુલે જાતિ ગણતરીના બહાને પીએમ મોદી પર નિશાન સાધ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ તકે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા વધુમાં કહ્યું કે આજે બે ભારતની રચના થઈ રહી છે, એક અદાણીજી વાળું અને બીજું સૌનું. જાતિ આધારિત વસતિ ગણતરી સ્પષ્ટપણે બતાવશે કે ભારતમાં કેટલા અને કયા લોકો છે. આપણને ખબર પડી જશે કે કેટલાં લોકો છે અને કોના હાથમાં નાણાં છે. કદાચ અમારી પણ ભૂલ છે કે અમે પહેલાં આ કર્યું નહીં, પણ અમે તે પૂરું કરીને બતાવીશું.
કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ આધારિત વસતિગણતરી થશેઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે જાતિ ગણતરીનો ઐતિહાસિક નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. કોંગ્રેસ શાસિત રાજ્યો હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને છત્તીસગઢના તમામ મુખ્યમંત્રીઓએ નક્કી કર્યું છે કે તેઓ ત્યાં જાતિ આધારિત વસતિ ગણતરી કરાવશે. આ અંગે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ધર્મ કે જાતિનો મામલો નથી. તે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવા માટે છે.
Advertisement