2024ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની આગેવાની હેઠળની NDAની જીતને રોકવા માટે 26 વિપક્ષી પાર્ટીઓ સંગઠિત થઈ છે. બીજી તરફ ભાજપ હાઈકમાન્ડે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના સૂરજકુંડમાં ભાજપની બે દિવસીય પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદ સંમેલનને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. આ અવસરે પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ગામડાઓમાં પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવી કેટલી જરૂરી છે તે તેમને સમજાયું ન હતું.
Advertisement
Advertisement
ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન પંચાયતી રાજ સંસ્થાઓને સશક્ત બનાવવા માટે ક્યારેય નક્કર પ્રયાસો કરવામાં આવ્યા ન હતા, મોટાભાગની કાર્યવાહી માત્ર આંકડાઓ અને કાગળો સુધી જ મર્યાદિત રહી છે. જમ્મુ-કાશ્મીર તેનું સૌથી મોટું ઉદાહરણ છે. આઝાદીના ચાર દાયકા સુધી કોંગ્રેસને એ સમજાયું નહીં કે ગામડાઓમાં પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવી કેટલી જરૂરી છે. આ પછી રચાયેલ જિલ્લા પંચાયતની જે વ્યવસ્થા બની તેને કોંગ્રેસના શાસનમાં તેના હાલ પર છોડી દેવાઈ હતી.
આ પ્રસંગે પીએમ મોદીએ ઉમેર્યું કે ભાજપના પ્રતિનિધિ તરીકે તમારે પંચાયતી રાજ વ્યવસ્થાનો લાભ સમાજની છેલ્લી લાઇનમાં ઉભેલા છેલ્લાં વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. હું તમને બધાને અનુરોધ કરું છું કે તમે તમારા વિસ્તારમાં કોઈ નાની જગ્યાએ અઠવાડિયામાં બે રાત રોકાઓ અને ત્યાંના લોકોની સાથે બેસો. પીએમએ વધુમાં કહ્યું કે જન ધન યોજના હેઠળ 50 કરોડ લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. આપણી માતાઓ અને બહેનો તેના લાભાર્થી છે. આ યોજનાઓ તમારા ગામની દરેક દીકરી અને બહેન સુધી પહોંચાડવાની છે.
આ અગાઉ આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ભાજપા પ્રાદેશિક પંચાયત રાજ પરિષદના બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કરવા માટે ફરીદાબાદના સૂરજકુંડ પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે તેમનું સ્વાગત કર્યું હતું.
Advertisement