દિલ્હી: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પ્રયાસો બાદ શુક્રવારે પટણામાં શરૂ થનારી વિપક્ષી એકતાની બેઠક પહેલા ફરી એકવાર ટકરાવની સ્થિતિ સર્જાઈ છે. બેઠક પહેલા જેડીયુના કેસી ત્યાગીએ તમામ પક્ષોને હિંમત દાખવવા અને બલિદાન આપવા માટે તૈયાર રહેવાની અપીલ કરી છે. બીજી તરફ વિપક્ષી દળોમાં મહત્વનો ચહેરો મમતા બેનરજીએ બેઠકના એક દિવસ અગાઉ પોતાના નિવેદનથી વિપક્ષી દળોની એકતા પર સવાલો ઉભા કરી દીધાં છે.
Advertisement
Advertisement
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના સૂચન પર બિહારના સીએમ નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પટણામાં વિપક્ષી એકતાની બેઠક યોજી રહ્યા છે. હવે આ બેઠક પહેલા ખૂદ મમતા બેનર્જીએ પોતે જ કંઈક એવું કહ્યું છે, જેના પછી 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષની એકતા કેવી રીતે જળવાઈ રહેશે તેવા સવાલો ઉભા થયા છે. મમતા બેનરજીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં સીપીઆઈ(એમ)ના નેતૃત્વ હેઠળના ડાબેરી મોરચા સાથે ગઠબંધનના કારણે અમે રાજ્યમાં કોંગ્રેસનું સમર્થન કરી શકીશું નહીં.
કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર
મમતા બેનરજીના નિવેદનના જવાબમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ રાજ્યમાં ભાજપની માફક જ હરિફ હશે. તેમને એવી પણ શંકા છે કે ભાજપ કેટલાક ટ્રોજન હોર્સને વિપક્ષી ગઠબંધનમાં કેટલાંક ટ્રોજન હોર્સ મોકલવાની તૈયારી કરી રહ્યો છે. પાર્ટીની કેન્દ્રીય સમિતિના સભ્યો સુજન ચક્રવર્તી અને વિકાસ રંજન ભટ્ટાચાર્ય જેવા વરિષ્ઠ નેતાઓએ પણ આ શંકાનું પુનરાવર્તન કર્યું છે.
શું લાલુ મમતા અને કોંગ્રેસ વચ્ચે સમાધાન કરાવશે?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજી વિપક્ષી એકતાની બેઠકમાં ભાગ લેતા પહેલા RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મુલાકાત કરે તેવી શક્યતા છે. સૂત્રોનું કહેવું છે કે લાલુ યાદવ સાથે શાંતિથી વાત કરી શકાય તે માટે મમતા એક દિવસ પહેલા આવી રહ્યાં છે. એવું માનવામાં આવે છે કે મમતા અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી કરાવવામાં લાલુ યાદવ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
Advertisement