990માં લિંગાયત નેતા વિરેન્દ્ર પાટિલ કર્ણાટકના મુખ્યમંત્રી હતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ હતા. કર્ણાટકમાં દાવણગેરેમાં 3 ઓક્ટોબર, 1990ના રોજ હિન્દુ સરઘર કાઢવામાં આવ્યા બાદ રમખાણો ફાટી નીકળ્યા હતા. આ શોભા યાત્રા દરમિયાન મુસ્લિમ યુવતી સાથે છેડતીના વિવાદે મોટું સ્વરુપ ધારણ કરી લીધું હતું. બન્ને સમુદાયો વચ્ચે ખૂબ જ રક્તપાત થયો હતો.
ત્યારે મુખ્યમંત્રી પાટીલને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ આરામ ફરમાવી રહ્યા હતા. આથી તેમના પર રમખાણોને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રાજીવ ગાંધી ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે એરપોર્ટ પરથી જ મુખ્યમંત્રી વિરેન્દ્ર પાટીલને હટાવવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે લિંગાયતમાં કોંગ્રેસ સામે રોષ ફાટી નીકળ્યો હતો અને ધીમે ધીમે લિંગાયત મતદારો કોંગ્રેસથી દૂર થતા ગયા હતા, જ્યારે લિંગાયત કોંગ્રેસના પરંપરાગત મતદારો હતા.
રાહુલ ગાંધીએ એ ભૂલ સુધારવા અને લિંગાયકોને પોતાના પક્ષમાં લાવવાની ભરપૂર કોશિશ કરી અને પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવ્યું. કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપાના મજબૂત નેતા જગદીશ શેટ્ટર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી લક્ષ્મણ સાવદી સહિત અનેક લિંગાયત નેતાઓને પણ પાર્ટીમાં સામેલ કર્યા હતા અને લિંગાયતોની લાંબા સમયથી ચાલી આવતી માંગ પર સહમતી દર્શાવી હતી કે અલગ ધર્મને દરજ્જો આપવામાં આવે.
પરિણામે લિંગાયત સમુદાયનો એક મોટો વર્ગ ફરી એકવાર કોંગ્રેસ તરફ વળ્યો. બીએસ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા બાદથી લિંગાયતો ભાજપાથી નારાજ હતા. તેઓ ભાજપા સિવાય અન્ય કોઈ નવી રાજકીય તાકાતની શોધમાં હતા, જેનો માર્ગ કોંગ્રેસ તરફ દોરી ગયો. રાજીવ ગાંધીના આ પગલાં બાદ લિંગાયત ભાજપામાં ચાલ્યા ગયા હતા, જેના કારણે દક્ષિણના રાજ્યમાં પાર્ટી મજબૂત બની હતી.
40 વર્ષ પછી ઘણી બેઠકો જીતવામાં સફળ રહી છે. લિંગાયત સમુદાયનું આમાં મોટું યોગદાન છે. લિંગાયતો કર્ણાટકની વસ્તીમાં 17 ટકા હિસ્સો ધરાવે છે અને લગભગ 80 વિધાનસભા બેઠકો પર હાર અને જીતનો નિર્ણય કરે છે. આ 80 બેઠકોમાંથી કોંગ્રેસને 53 બેઠકો મળી છે, જ્યારે ભાજપાને માત્ર 40 બેઠકો મળી છે. એકંદરે વિધાનસભાની 17 બેઠકોમાંથી 80 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે.
Advertisement