દિલ્હીઃ ભાજપે પણ લોકસભા ચૂંટણીમાં વિપક્ષી એકતાને પડકારવાની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપે એનડીએથી અલગ થયેલા સાથી પક્ષોને ફરી એક વખત સાથે લાવવાની કવાયત શરૂ કરી દીધી છે. ભાજપે તેની શરૂઆત બિહારથી કરી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ 18 જુલાઈએ NDAની બેઠક બોલાવી છે. તેમણે લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન અને હિન્દુસ્તાની અવામ મોરચાના પ્રમુખ જીતન રામ માંઝીને બેઠકમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું છે.
Advertisement
Advertisement
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને પત્ર લખીને 18 જુલાઈએ દિલ્હીમાં યોજાનારી એનડીએની બેઠક માટે આમંત્રણ આપ્યું છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)નો એક મહત્વપૂર્ણ ભાગ છે. આમંત્રણ મળતાં ચિરાગ પાસવાને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે અમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો પત્ર મળ્યો છે. આજે પક્ષના નેતાઓ સાથે બેઠક કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે.
NDAમાં ચિરાગની એન્ટ્રી કન્ફર્મ
લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે કે માંઝી અને ચિરાગ ફરી એનડીએમાં સામેલ થઈ શકે છે. તેઓ સતત અલગ-અલગ મુદ્દાઓ પર ભાજપને સમર્થન આપી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય પણ પટણામાં ચિરાગ પાસવાનને મળ્યા હતા. આ મુલાકાત એલજેપીઆરના નેતાઓની બેઠક દરમિયાન થઈ હતી. બેઠક બાદ ચિરાગે પોતાના નેતાઓને કહ્યું કે, ભાજપ સાથે ગઠબંધનની વાત ઘણાં સમયથી ચાલી રહી છે. હજુ વધુ એક કે બે રાઉન્ડની વાતચીત થવાની છે.
બિહારના આ નેતાઓ અંગે પણ નિર્ણય લેવાઈ શકે
NDAની બેઠકમાં ચિરાગ પાસવાન ઉપરાંત જીતન રામ માંઝીની પાર્ટી હમ, ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLJD અને મુકેશ સાહનીની પાર્ટી VIP પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે આ તમામ નેતાઓ એનડીએમાં પરત ફરવાના સંકેત આપી ચૂક્યા છે. આમ પણ ચિરાગ, માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા પહેલા પણ NDAમાં જોડાઈ ચૂક્યા છે.
Advertisement