આ જીત કર્ણાટકના લોકોની જીત છે અને દ્વેષ સામે પ્રેમની જીત થઈ છે. હું કર્ણાટકના લોકોને અભિનંદન આપું છું કે તેમણે તિરસ્કારની રાજનીતિને જાકારો આપ્યો છે. સામાન્ય લોકો દ્વારા થયેલી આ લોકશાહીની જીત છે.
Advertisement
Advertisement
આજે બપોરે સતત કોંગ્રેસને 136થી વધુ સીટોમાં લીડ મળતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાધીએ પત્રકારોને સંબોધન કરીને વાત કરી હતી. આખા દેશમાં કર્ણાટક ચૂંટણીનું મહત્ત્વ એટલા માટે હતું કારણ કે આ ચૂંટણી ગુજરાત પછીની એક એવી નિર્ણયક ચૂંટણી હતી કે જેમાં ફરીવાર રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઈલેક્શનમાં જંપલાવ્યું હતું.
ભાજપ દ્વારા હિન્દુત્ત્વ અને પરિવારવાદના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો તો વળી તેની સામે કોંગ્રેસે માત્ર સ્થાનિક પ્રશ્નોને વિશેષ મહત્ત્વ આપતા કર્ણાટકના રાજકારણમાં એક વળાંક જોવા મળ્યો હતો. કર્ણાટકમાં ઠેર ઠેર કોંગ્રેસની જીતને કારણે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
કોંગ્રેસે 136 સીટોમાં લીડ મેળવતા હવે કોંગ્રેસ કેમ્પમાં ઠેર ઠેર ઉજવણીનો માહોલ ચાલુ થઈ હયો છે. પ્રિયંકા ગાંધીએ હમણાં જ જણાવ્યું હતું કે નફરતની રાજનીતિની હાર થઈ છે.
મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખરગેની ચિત્તાપુર સીટ પરથી ત્રીજીવાર જીત થઈ છે.
લોકોએ તેમને સમજાવી દીધું છે. આ જ સ્થિતિ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની આવનારી ચૂંટણીમાં થશે.-અશોક ગેહલોત. આ સાથે જ છત્તીસગઢના મુખ્યમમંત્રી બાઘેલે જણાવ્યું હતું કે હવે દક્ષિણ ભારત ભાજપમુક્ત બન્યું છે. બાઘેલે ભાજપની હારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાર તરીકે ગણાવી હતી. બાઘેલે વધુમાં જણાવ્યું હતું કે જો ભાજપની જીતમાં મોદીની જીત હોય તો તેમની હારનો શ્રેય પણ તેમને જ મળવો જોઈએ.
કોંગ્રેસ નેતા શશી થરુરે જણાવ્યું હતું કે ધ્રુવિકરણના માહોલમાં કર્ણાટક કોંગ્રેસે જમીન સાથે જોડાઈને જવાબદારીપૂર્ણ કામ કર્યું છે. સ્થાનિક લોકોની તકલીફોને સમજીને આ કામ કર્યું છે પરંતુ અહીં વાત અટકતી નથી. હજુ આપણે કર્ણાટકના લોકો માટે ઘણું કરવાનું છે.
આ સાથે મમતા બેનર્જીએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે હું કર્ણાટકના લોકોને સલામ કરું છું કે તેઓ એક મોટા બદલાવ માટે નિમિત્ત બન્યા છે અને આપખૂદી સામે જ્યારે લોકો જ સાચી લોકશાહીને પસંદ કરે છે ત્યારે કોઈ તેને દબાવી શકતું નથી. આ આખી વાર્તાનો આ જ સાર છે અને આવતી કાલે આ જ રીતે પ્રજા પાઠ ભણાવશે.
Advertisement