નવી દિલ્હીઃ દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચેના સંઘર્ષનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકારની માંગ કરતી દિલ્હી સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટની 5 જજની બંધારણીય બેંચ આજે પોતાનો ચુકાદો આપશે.
Advertisement
Advertisement
ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બંધારણીય બેંચ આ અંગે પોતાનો ચુકાદો આપશે. કોર્ટે 18 જાન્યુઆરીના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો.
આ મામલો 6 મે 2022ના રોજ ચીફ જસ્ટિસ ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચને મોકલવામાં આવ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેંચ દિલ્હી અને કેન્દ્ર સરકાર વચ્ચેની સેવાઓને કોણે નિયંત્રિત કરવી જોઈએ તે અંગે નિર્ણય આપશે.
14 ફેબ્રુઆરી 2019 ના રોજ સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચે નિર્ણય આપ્યો કે દિલ્હીમાં વહીવટી સેવાઓ પર કોણ નિયંત્રણ કરશે. જોકે તેમાં બંને જજોનો અભિપ્રાય અલગ હતો. તેથી, નિર્ણય માટે ત્રણ જજની બેંચની રચના કરવા માટે આ મામલો મુખ્ય ન્યાયાધીશને મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન કેન્દ્રએ દલીલ કરી હતી કે આ મામલો મોટી બેંચને મોકલવામાં આવે.
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે એલજી સ્વતંત્ર રીતે કામ કરશે નહીં. જો કોઈ અપવાદ હશે તો તે મામલો રાષ્ટ્રપતિને મોકલી શકે છે અને રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવેલ નિર્ણયનો અમલ કરવામાં આવશે. એટલે કે એલજી પોતે કોઈ નિર્ણય લેશે નહીં. સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે રાજધાની દિલ્હીમાં વહીવટ માટે એક માપદંડ નક્કી કર્યો છે. સર્વોચ્ચ અદાલતે કલમ-239AAનું અર્થઘટન કર્યું હતું.
4 જુલાઈ 2018ના રોજ કોર્ટે ઘણા મુદ્દાઓ પર નિર્ણયો આપ્યા હતા
4 જુલાઈ, 2018 ના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર VS દિલ્હી વિવાદમાં ઘણા મુદ્દાઓ પર પોતાનો ચુકાદો આપ્યો, પરંતુ સેવાઓ પર નિયંત્રણ જેવા કેટલાક મુદ્દાઓ એટલે કે અધિકારીઓ પર નિયંત્રણ જેવા કેટલાક મુદ્દાઓને આગળની સુનાવણી માટે છોડી દીધા હતા.
જે પછી 14 ફેબ્રુઆરી 2019ના રોજ બે જજની બેન્ચે આ મુદ્દે નિર્ણય આપ્યો હતો, પરંતુ બંને જસ્ટિસ જસ્ટિસ એકે સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણનો નિર્ણય અલગ હતો. આ પછી મામલો 3 જજોની બેંચ સમક્ષ આવ્યો. આખરે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. હવે આજે એટલે ગુરુવારે નિર્ણય આવવાનો છે.
દિલ્હી રાષ્ટ્રીય રાજધાની છે. અહીંની સરકારને સંપૂર્ણ રાજ્યની સરકાર જેવા અધિકારો આપી શકાય નહીં. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે રાજકીય અપરિપક્વતાને કારણે દિલ્હી સરકાર સતત વિવાદની સ્થિતિ બનાવી રાખવા માંગે છે.
Advertisement