દિલ્હી: સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને મણિપુર મુદ્દે વિપક્ષના હોબાળાને કારણે બંને ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. દરમિયાન વિપક્ષી મહાગઠબંધન ‘ઈન્ડિયા’એ આજે મહત્વની બેઠક બોલાવી હતી. વિપક્ષના સાંસદોએ કાળા કપડા પહેરીને બેઠકમાં હાજરી આપી હતી. વિપક્ષના આ બ્લેક પ્રોટેસ્ટ અંગે ભાજપ નેતા પીયૂષ ગોયલે રાજ્યસભામાં જોરદાર પ્રહારો કર્યા છે.
Advertisement
Advertisement
વિપક્ષી સાંસદોએ કાળા કપડા પહેર્યા તે અંગે રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલે કહ્યું કે કાળા કપડા પહેરનારા લોકો સમજી શકતા નથી કે આજે દેશની વધતી જતી તાકાત શું છે ? જેમનું મન અને તન કાળું છે તેમના હૃદયમાં શું છુપાયેલું છે ? તેમનો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય કાળું છે. પરંતુ અમને આશા છે કે તેમના જીવનમાં પણ પ્રકાશ આવશે.
વિપક્ષ પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે તે દિવસે વડાપ્રધાને કહ્યું હતું કે 2023માં તમે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવો, તેઓ તૈયારી કરીને આવ્યા હતા, પરંતુ તેમાં પણ વિવિધતા છે. કોંગ્રેસ પાર્ટીએ કોઈપણ વિરોધ પક્ષ સાથે વાત કર્યા વગર જ અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો છે. અવિશ્વાસની દરખાસ્ત લાવવાથી અને કાળા કપડા પહેરવાથી કંઈ નહીં થાય, પછી તમારે કાળા કપડા પહેરીને જ ફરવું પડશે. અમારા ગૃહમંત્રી ત્રણ દિવસ માટે મણિપુર ગયા હતા.
કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે મણિપુરના મુદ્દે પર વિપક્ષી નેતાઓએ કાળા કપડા પહેરીને વિરોધ કર્યો તેના મામલે કહ્યું કે વિપક્ષનું કામ વિરોધ કરવાનું છે. તેઓ કરે. દેશ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે પરંતુ તેમને તે પસંદ નથી. તેઓ ગમે તે કરે, તેનાથી કોઈ ફરક નહીં પડે કારણ કે વડાપ્રધાન મોદીની વિચારસરણી ઘણી આગળની છે. PMએ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું સપનું જોયું છે, શું તેઓ તેને રોકવા માગે છે?
Advertisement