દિલ્હી: ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વર્તુળોમાં હલચલ તેજ બની ગઈ છે. હવે ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતી એક પોસ્ટ કરી છે. ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાહુલની તસવીર સાથેનું એક પોસ્ટર જાહેર કર્યું અને લખ્યું કે નવા યુગનો રાવણ અહીં છે. તે દુષ્ટ, ધર્મવિરોધી અને રામ વિરોધી છે, તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય દેશનો નાશ કરવાનો છે. બીજેપી દ્વારા શેર કરવામાં આવેલા પોસ્ટરમાં રાહુલને સાત માથા સાથે બતાવવામાં આવ્યા છે અને લખવામાં આવ્યું છે – ભારત જોખમમાં છે – તસવીરની નીચે મોટા અક્ષરોમાં રાવણ લખેલું છે.
Advertisement
Advertisement
વિપક્ષી નેતાઓએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો
ભાજપના આ ટ્વિટ પર રાજકારણ ગરમાઈ ગયું છે અને કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ ભાજપ પર પ્રહારો કર્યા છે. આ ટ્વિટ અંગે શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું કે ભાજપ, નરેન્દ્ર મોદી અને અમિત શાહને રાહુલ ગાંધીથી ડર લાગવા માંડ્યો છે. આ 2024ની ચૂંટણીમાં તમારી (ભાજપ)ની હાર સુનિશ્ચિત કરે છે. આ દેશમાં જ રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું, રાવણ એક વિકૃતિ છે જે સૌથી વધુ ભાજપમાં જ છે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને “નવા યુગનો રાવણ” ગણાવતા ભાજપના ટ્વિટ પર છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી ટી.એસ. સિંહ દેવે કહ્યું કે એવું લાગે છે કે ભાજપ પાસે કોઈ મુદ્દો બચ્યો નથી. મેં રાહુલ ગાંધી કરતાં વધુ શુદ્ધ અને ખુલ્લા વિચારો ધરાવતી વ્યક્તિ જોઈ નથી. રાહુલ ગાંધી જેટલી જિજ્ઞાસા અને ધાર્મિક જ્ઞાન કદાચ કોઈમાં નથી.
આ મામલે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આ તેમનો ગભરાટ દર્શાવે છે, તેઓ (ભાજપ) ઈન્ડિયા ગઠબંધનના કારણે નર્વસ છે. આ પોસ્ટરમાં ભાજપના કોઈ નેતાનો ફોટો હોત તો તેને (ટ્વીટ કરનારને) જેલમાં ધકેલી દેવામાં આવ્યો હોત. આ લોકો સનાતન ધર્મના શપથ લે છે, શું તેઓને ખબર છે કે સનાતન ધર્મ શું છે?
Advertisement