દિલ્હીઃ અયોધ્યામાં રામજન્મભૂમિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાન રામના નિર્માણાધીન મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં થવાની સંભાવના છે. દરમિયાન, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો હતો કે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે તો વધુ એક ગોધરાકાંડ જેવું કંઈક થઈ શકે છે. હવે તેમના આ નિવેદન પર ભાજપ નેતાઓએ વળતો પ્રહાર કર્યો છે.
Advertisement
Advertisement
ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ઉદ્ધવ ઠાકરેના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે સનાતનનો વિરોધ આ કહેવાતા ઘમંડી ગઠબંધનનો સંકલ્પ છે. ઉદ્ધવ ઠાકરે કહે છે કે ભગવાન રામના મંદિરનું ઉદ્ઘાટન થશે તો ગોધરા જેવો નરસંહાર થઈ જશે. તેનો અર્થ શું છે ? આ વાત સ્વર્ગસ્થ બાળા સાહેબ ઠાકરેના પુત્ર કહી રહ્યા છે, જેમણે રામ મંદિર આંદોલનમાં દેશમાં નવી ઊંચાઈ અને હિંમતનો પરિચય આપ્યો હતો.
આ મામલે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે જ્યારથી ઉદ્ધવ ઠાકરેની સત્તા ગઈ છે ત્યારથી તેઓ વાહિયાત નિવેદનો આપી રહ્યા છે. કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો, જેમાં ઉદ્ધવ ઠાકરે સામેલ છે, તેઓ સનાતન ધર્મનું અપમાન કરવાની અને સનાતન ધર્મને મૂળથી ઉખેડી નાખવાની વાત કરી રહ્યા છે. શું તમે આ સાથે સહમત છો ? શું આ બાબાસાહેબ આંબેડકરના બંધારણનું અપમાન નથી ? તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.
રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પણ ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે આવું કંઈ થશે નહીં… ઉદ્ધવ ઠાકરે દ્વારા આવી કલ્પના કરવી તે તદ્દન ખોટું, બાલિશ અને મૂર્ખામીભર્યું છે. તેમણે આવું ન કહેવું જોઈએ. રામમંદિર પ્રત્યે બાળ ઠાકરેની જે લાગણી હતી તેનાથી વિરુદ્ધ લાગણી ઉદ્ધવ ઠાકરેની થઈ ગઈ છે કારણ કે તેઓ કોંગ્રેસ સાથે જતા રહ્યા છે, હવે તેઓ કોંગ્રેસની ભાષા બોલવા લાગ્યા છે.
હકિકતે ગયા રવિવારે જલગાંવમાં એક રેલીને સંબોધિત કરતાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રામ મંદિરના ઉદ્ઘાટન માટે દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચશે. જ્યારે તેઓ પાછા ફરશે ત્યારે ગોધરાકાંડ જેવી બીજી ઘટના બનવાની પૂરેપૂરી શક્યતા છે.
Advertisement