પટણામાં મહાબેઠકની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોના નેતાઓ ગઈકાલથી એક પછી એક પટણા પહોંચી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા યોજાનારી આ બેઠકને કારણે એક તરફ ભાજપની બેચેની વધી ગઈ છે. બીજી તરફ ભાજપના નેતાઓ સતત આ બેઠક અને તેમાં ભાગ લેનારા નેતાઓ પર પ્રહારો કરી રહ્યા છે
Advertisement
Advertisement
બિહારના બીજેપી ધારાસભ્ય જીવેશ મિશ્રાના કહેવા પ્રમાણે, આ બેઠકમાં એ નક્કી થવું જોઈએ કે વિપક્ષી એકતાના નામે જેટલાં વરરાજા પટણા આવેલા છે તેમાંથી અસલી વરરાજા કોણ છે. વરઘોડામાં કોણ કોણ જોડાશે તે પણ નક્કી કરી લે. અહીં દરેક વ્યક્તિ પોતપોતાની બીમારીથી પીડિત છે.
પટણામાં યોજાનારી વિપક્ષની બેઠક પર વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હાએ કહ્યું કે આ લોકોએ જ સરકાર બનાવનારા લોકો હોય તો તેઓ બિહારમાં ક્યારેય પોતાની તાકાત પર સરકાર કેમ ન બનાવી શક્યા ? જે વ્યક્તિને બિહારની જનતાએ ક્યારેય જનાદેશ આપ્યો નથી, તેમની પાસે સરકાર બનાવવાની અને નષ્ટ કરવાની શું ઓકાત છે?
બીજી તરફ આ મામલાને લઈને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે પટણાની સડકો પર ઘણાં વરરાજા દાવો કરી રહ્યા છે. વરરાજા કોણ છે તે તો સ્પષ્ટપણે સમજી શકાય છે કે તેમાં કોઈ દાવેદારી જ નથી… વિપક્ષ એક સાથે લડે કે ન લડે તેનાથી કોઈ ફરક પડશે નહીં. 2024માં જનતા ફરી મોદીજીને જ વડાપ્રધાન બનાવશે.
આ મહાબેઠક અંગે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જણાવ્યું કે વિપક્ષી ગઠબંધન ખરાબ રીતે ફ્લોપ શો સાબિત થશે અને 2024માં માત્ર ભાજપ જ આવશે.
સુશીલ કુમાર મોદીના કહેવા પ્રમાણે, નીતીશજીએ એક એવા વરઘોડાનું આયોજન કર્યું છે જેમાં બધાં વરરાજા છે અને બધાં પોતાની શરતો પૂરી કરાવવામાં વ્યસ્ત છે. તેમના દિલ મળે કે ન મળે, પરંતુ તેઓ હાથ ચોક્કસપણે મિલાવશે. શું મમતા બેનરજી કોંગ્રેસ સાથે સમાધાન કરશે ? શું તે બંગાળમાં કોંગ્રેસ માટે સીટો છોડશે ? બંગાળ પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસામાં અડધા ડઝનથી વધુ કોંગ્રેસીઓની હત્યા કરી દેવાઈ. અરવિંદ કેજરીવાલ આજે નીતિશ કુમારને મળ્યા છે પરંતુ શું તેઓ દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસ માટે સીટ છોડશે ? કોઈ પ્રાદેશિક નેતા તેમના રાજ્યમાં કોંગ્રેસને પોતાની સીટ આપવા માટે તૈયાર નથી.
Advertisement