દિલ્હી: ચીને ફરી એકવાર તેની વિસ્તરણવાદી નીતિને પાર પાડી છે. ચીને નવો નકશો જાહેર કરીને ભારતના અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીન અને તાઈવાનના કેટલાક વિસ્તારોને પોતાના પ્રદેશ જાહેર કર્યા છે. ચીન દ્વારા બહાર પાડવામાં આવેલા આ નકશાને લઈને દેશમાં રાજકીય પારો ગરમાયો છે અને બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકારને અરીસો બતાવ્યો છે, એટલું જ નહીં તેમણે ચીનની વિસ્તરણવાદી નીતિને લઈને પીએમ મોદી પર સીધા પ્રહારો કર્યા છે.
Advertisement
Advertisement
જવાહરલાલ નહેરુ સાથે સરખામણી
બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર મીડિયા રિપોર્ટ શેર કરતા લખ્યું કે પીએમ મોદીએ તેમનું પદ છોડીને ગાઈડન્સ કાઉન્સિલમાં સામેલ થઈ જવું જોઈએ. વધુમાં સ્વામીએ પીએમ મોદીની તુલના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે કરી હતી.
Say to Modi: “If you cannot defend the integrity of Bharat Mata due to “majboori” that you cannot admit, then at least you can step aside and retire to Margdarshan Mandal. Hindustan cannot be protected by lies. India cannot afford another Nehru.” https://t.co/5dyP5mE4Fx
— Subramanian Swamy (@Swamy39) August 29, 2023
બીજા નહેરુ સાંખી નહીં શકાય
તેમના ટ્વીટમાં, તેમણે આગળ લખ્યું, “મોદીને કહો: જો તમે મજબૂરીમાં ભારત માતાની અખંડિતતાનું રક્ષણ કરી શકતા નથી, તો ઓછામાં ઓછું તમે નિવૃત્ત થઈને માર્ગદર્શન બોર્ડમાં જોડાઈ શકો છો. જુઠ્ઠાણાથી ભારતનું રક્ષણ થઈ શકે નહીં. ભારતને વધુ એક નહેરુ સહન કરી શકે તેમ નથી.” તેમણે વધુમાં કહ્યું કે ભારતે વારંવાર કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.
ચીનના માનક નકશાની 2023 આવૃત્તિ સોમવારે સત્તાવાર રીતે બહાર પાડવામાં આવી હતી. પ્રાકૃતિક સંસાધન મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવેલ માનક નકશાને સેવાની વેબસાઇટ પર લોન્ચ કરવામાં આવ્યો હતો. આ નકશો ચીન અને વિશ્વના વિવિધ દેશોની રાષ્ટ્રીય સીમાઓ દોરવાની પદ્ધતિના આધારે સંકલિત કરવામાં આવ્યો છે. નવા નકશામાં ચીને ફરી એકવાર અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન ક્ષેત્ર, તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાનો દાવો કર્યો છે. ચીનના આ પગલાંથી ભારત અને ચીન વચ્ચે તણાવ વધવાની આશંકા છે.
Advertisement