દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. ચૂંટણીને ધ્યાને લઈને પાર્ટીમાં ઘણાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વધુ એક મોટો ફેરફાર કરતા નવા હોદ્દેદારોની જાહેરાત કરી છે. પંજાબના તરુણ ચુગને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, પંજાબના જ નરેન્દ્ર સિંહ રૈનાને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. નવી ટીમમાં બે મુસ્લિમોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
લોકસભા 2024 પહેલા ભાજપની નવી ટીમની જાહેરાત
ભાજપે નવા રાષ્ટ્રીય હોદ્દેદારોની જાહેરાત કરી છે. તેમાં સંજય બંદી અને અનિલ એન્ટની સહિત ઘણાંને જવાબદારી મળી છે. નડ્ડાએ લોકસભા 2024 પહેલાં પોતાની નવી ટીમની જાહેરાત કરી દીધી છે. 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને આઠ રાષ્ટ્રીય મહામંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ 13 રાષ્ટ્રીય સચિવોની પણ નિમણૂંક કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે બે મુસ્લિમ નેતાઓ કેરળના અબ્દુલ્લા કુટ્ટી અને ઉત્તર પ્રદેશના તારિક મંસૂરને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
નવી ટીમમાં ગુજરાતમાંથી કોઈને સ્થાન નહીં
બીઆર સંતોષ રાષ્ટ્રીય મહામંત્રી તરીકે ચાલુ રહેશે અને શિવ પ્રકાશ સહ-સંગઠન મહાસચિવ બનશે, જ્યારે રમણ સિંહ, વસુંધરા રાજે અને રઘુવરદાસને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સિવાય મધ્યપ્રદેશના કૈલાશ વિજયવર્ગીયને રાષ્ટ્રીય મહામંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ભાજપની આ નવી ટીમમાં ગુજરાતમાંથી કોઈને સ્થાન મળ્યું નથી.
આ નવા ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવી
ભાજપે રાષ્ટ્રીય પદાધિકારીઓની જાહેરાત કરી છે. યુપીના નવા ચહેરાઓમાં ડૉ. રાધા મોહન દાસ અગ્રવાલને મહાસચિવ અને લક્ષ્મીકાંત વાજપેયીને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીએ સુનીલ બંસલ, અરુણ સિંહ, તારિક મંસૂર, રેખા વર્મા જેવા નવા ચહેરાઓને મોટી જવાબદારી સોંપી છે.
આ લોકોનું પત્તું કપાયું
આંધ્રપ્રદેશના પ્રભારી સુનીલ દેવધરને રાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સીટી રવિ અને દિલીપ સૈકિયાને પણ મહામંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના સાંસદ અને પૂર્વ સહ-ખજાનચીને બદલીને નરેશ બંસલને સહ-ખજાનચી બનાવવામાં આવ્યા છે.
Advertisement