દિલ્હી સર્વિસ બિલ અંગે ગઈ કાલે રાજ્યસભામાં હોબાળો થયો હતો, પરંતુ અંતે એનડીએ ગઠબંધનની જીત થઈ હતી. દિલ્હી સર્વિસ બિલ પણ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. આ બિલને રોકવા માટે વિપક્ષી મહાગઠબંધને પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી, પરંતુ તે આ બિલને રોકવામાં સફળ થઈ શક્યો ન હતો. એનડીએના 131 મત સામે તેને માત્ર 102 મત મળ્યા હતા. કોંગ્રેસે રાજ્યસભા જીતવા માટે સખત મહેનત કરી હતી. કોંગ્રેસે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા 90 વર્ષીય પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહને પણ ગૃહમાં મતદાન કરવા આમંત્રણ આપ્યું હતું. સમગ્ર ચર્ચા અને મતદાન દરમિયાન તેઓ વ્હીલચેર પર બેઠેલા જોવા મળ્યા હતા. હવે આ મામલે રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ પર નિશાન સાધવાની સાથે ભાજપે મનમોહન સિંહની ઉંમર અને ખરાબ તબિયત હોવા છતાં તેમને ગૃહમાં બોલાવવાને અમાનવીય ગણાવ્યું છે.
Advertisement
Advertisement
રાજકીય નિવેદનબાજી ઉગ્ર બની
ભાજપે ટ્વિટ કર્યું કે કોંગ્રેસના આ ગાંડપણને દેશ યાદ રાખશે! કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાનને મોડી રાત્રે ગૃહમાં વ્હીલચેર પર બેસાડી રાખ્યા, તે પણ માત્ર તેમના બેઈમાન ગઠબંધનને જીવંત રાખવા માટે! ખૂબ જ શરમજનક વાત છે. આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે મનમોહન સિંહના આગમનને બંધારણના સન્માન સાથે જોડી દીધું છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે કહ્યું, “ડૉક્ટર સાહેબનું લોકશાહી પ્રત્યેનું સમર્પણ દર્શાવે છે કે તેમને દેશના બંધારણમાં કેટલો વિશ્વાસ છે.”
રાઘવ ચઢ્ઢાએ મનમોહન સિંહની પ્રશંસા કરી
કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ મનમોહન સિંહના વખાણ કર્યા છે. રાઘવે પોતાના એક ટ્વીટમાં લખ્યું, ‘મનમોહન સિંહ રાજ્યસભામાં કાળા વટહુકમ વિરુદ્ધ અમારા માટે મશાલ બનીને બેઠા હતા. લોકશાહી અને બંધારણ પ્રત્યે તેમનું સમર્પણ અમારા માટે પ્રેરણારૂપ છે. અમે તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.’
શિબુ સોરેન પણ ખરાબ તબિયત હોવા છતાં ગૃહમાં આવ્યા
વિપક્ષે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલને રોકવા માટે તમામ તાકાત લગાવી હતી, પરંતુ તે છતાં એનડીએ વિરુદ્ધ માત્ર 102 વોટ મેળવવામાં સફળ રહ્યા હતા. રાજ્યસભામાં હાલ 238 સાંસદ છે, જ્યારે 7 બેઠકો ખાલી છે. મનમોહન સિંહ ઉપરાંત ઝારખંડ મુક્તિ મોરચાના સંસ્થાપક શિબુ સોરેન પણ ખરાબ તબિયત હોવા છતાં ગૃહમાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે બીજેડી અને વાયએસઆર કોંગ્રેસના સમર્થનથી બીજેપીના નેતૃત્વમાં એનડીએને મોટી લીડ મળી છે. આ સિવાય ટીડીપીનો પણ એક વોટ મળ્યો હતો, જેના કારણે રાજ્યસભામાં એનડીએની સંખ્યા વધી ગઈ છે.
Advertisement