લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે દક્ષિણ ભારતમાં ભાજપને ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે કે AIADMK એ ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ આ અંગે ઔપચારિક રીતે ઠરાવ પસાર કર્યો છે. AIADMKના આ નિર્ણય બાદ પાર્ટીના કાર્યકરોએ ચેન્નાઈમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
Advertisement
Advertisement
આ નિર્ણય બાદ AIADMKના ડેપ્યુટી કોઓર્ડિનેટર કેપી મુનુસામીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે AIADMKએ બેઠકમાં સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો છે. AIADMK આજથી ભાજપ અને NDA ગઠબંધન સાથેના તમામ સંબંધો તોડી રહી છે. ભાજપનું રાજ્ય નેતૃત્વ છેલ્લાં એક વર્ષથી સતત અમારા ભૂતપૂર્વ નેતાઓ, અમારા મહામંત્રી EPS અને અમારા કાર્યકરો વિશે બિનજરૂરી ટિપ્પણીઓ કરી રહ્યું છે.
AIADMKએ શું કહ્યું?
છેલ્લાં કેટલાંક સમયથી AIADMK અને રાજ્ય ભાજપના નેતાઓ વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. AIADMKએ કહ્યું કે તે 2024ની લોકસભા ચૂંટણીમાં અલગ મોરચાનું નેતૃત્વ કરશે. ખરેખર, દેશમાં અત્યારે બે મોટા ગઠબંધન છે. એક ભાજપની આગેવાની હેઠળની એનડીએ છે અને બીજું ‘ઈન્ડિયા’ છે, જેમાં કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી પાર્ટી સહિત 28 પક્ષોના નેતાઓ સામેલ છે.
પરંતુ ઘણાં પક્ષો એવા છે જે NDA અને ‘ઈન્ડિયા’ બંનેનો ભાગ નથી. તેમાં તેલંગાણાના સીએમ કેસીઆરની ભારત રાષ્ટ્ર સમિતિ, સાંસદ અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન, ઓડિશાના સીએમ નવીન પટનાયકની બીજુ જનતા દળ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓ ઈન્ડિયા ગઠબંધનમાં વધુને વધુ નેતાઓને સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ ભાજપ પણ એનડીએ જૂથને વધારવાનો પ્રયાસ કરી રહી છે.
રાજકીય નિવેદનબાજી ઉગ્ર બની
પાર્ટીના આ નિર્ણય પછી, AIADMK પ્રવક્તા શશિરેખાએ કહ્યું, “સભ્યોના અભિપ્રાયના આધારે, અમે આ પ્રસ્તાવ લઈ રહ્યા છીએ… AIADMK માટે આ સૌથી ખુશીની ક્ષણ છે. અમે આગામી ચૂંટણીનો સામનો કરવા માટે ખૂબ જ ખુશ છીએ, પછી તે લોકસભા હોય કે વિધાનસભાની ચૂંટણી હોય.
બીજી બાજુ, AIADMK દ્વારા બીજેપી અને NDA સાથે ગઠબંધન તોડવા અંગે તમિલનાડુ ભાજપ અધ્યક્ષ કે. અન્નામલાઈએ કહ્યું, “હું તમારી સાથે પછી વાત કરીશ, હું મુસાફરી દરમિયાન બોલતો નથી. હું પછી વાત બોલીશ.”
Advertisement