કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કર્ણાટકમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો.
Advertisement
Advertisement
તેમણે કહ્યું, અમે મુસ્લિમ રિઝર્વેશન સમાપ્ત કર્યું. લિંગાયતો, એસસી, એસટીનું રિઝર્વેશન વધારવામાં આવ્યું. કોંગ્રેસ પાર્ટી કહે છે કે જો અમે સત્તામાં આવ્યા તો મુસ્લિમ રિઝર્વેશન ચાર ટકાથી વધારીને છ ટકા કરીશું.
અમિત શાહે કહ્યું, હું ડીકે શિવકુમારને પૂછવા માગું છું કે તમે મુસ્લિમ રિઝર્વેશન લાવશો તો કોનું કામ કરશો. તે જણાવ્યા વગર તમે તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યાં છો.
તેમને વચન આપતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ન મુસ્લિમ રિઝર્વેશન આવવા દેશે પરંતુ તેની સાથે લિંગાયત નું રિઝર્વેશન પણ ઓછું થવા દેશે નહીં.
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થઈ જશે અને 10 મેના દિવસે વોટિંગ થશે. કર્ણાટક ચૂંટણી પરિણામ 13 મેના દિવસે આવશે.
અનામતનો શું છે સમગ્ર મામલો
વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ કર્ણાટકમાં ભાજપ સરકાર દ્વારા મુસ્લિમો માટે 4% અનામત રદ કરી અને તેને કર્ણાટકના લિંગાયત અને વોક્કાલિગા સમુદાયો વચ્ચે 2-2% વહેંચી દીધી.
ભાજપનું કહેવું છે કે ધર્મના આધારે અનામત આપવી એ બંધારણની વિરુદ્ધ છે તેથી આ અનામત હટાવી દેવામાં આવી છે.
માર્ચમાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આ નિર્ણય બાદ કહ્યું હતું કે, “બંધારણમાં ધાર્મિક અનામતની કોઈ જોગવાઈ નથી. ડૉ. ભીમરાવ આંબેડકરે પોતે કહ્યું હતું કે અનામતનો નિર્ણય જાતિના આધારે થવો જોઈએ.”
કર્ણાટકમાં વર્ષ 1994 માં મંડળ કમિશનની ભલામણો હેઠળ મુસ્લિમોની કેટલીક જાતિઓને અન્ય પછાત જાતિ (ઓબીસી) ની શ્રેણીમાં પેટા-શ્રેણી તરીકે સામેલ કરવામાં આવી હતી.
આ અંતર્ગત ‘સામાજિક અને શૈક્ષણિક પછાતતા’ના આધારે મુસ્લિમોને ચાર ટકા અનામત આપવાની વાત કરવામાં આવી હતી.
ચિનપ્પા રેડ્ડી કમિશનની રચના કર્ણાટક સરકાર દ્વારા વર્ષ 1986માં કરવામાં આવી હતી. આ કમિશનને રાજ્યમાં અનામત માટે લાયક જાતિઓ અને સમુદાયોની યાદી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
આ કમિશનની સલાહ પર ઓબીસી માટેના 32 ટકા ક્વોટા માંથી ચાર ટકા મુસ્લિમ ને અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઓબીસી કેટગરીમાં જ વોક્કાલિગા અને લિંગાયતને 4 અને 5 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. વોક્કાલિગાસ અને લિંગાયત કર્ણાટકમાં ખૂબ જ પ્રભાવશાળી સમુદાયો છે.
હવે કર્ણાટકમાં અનામતની બદલાયેલી વ્યવસ્થામાં મુસ્લિમોને આપવામાં આવતી 4% અનામત સમાપ્ત થઈ ગઈ છે. જો કે, 9 મે સુધી, સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ પુનઃસ્થાપિત કરી છે.
ઉલ્લેખનિય છે કે, બંધારણને આગળ ધરીને બીજેપીએ કર્ણાટકની ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માટે મુસ્લિમ અનામતને રદ્દ કરી દીધી છે. આ નિર્ણયથી વોક્કાલિગાસ અને લિંગાયત સમુદાય ખુશ થઇ ને વોટ આપી શકે છે. આમ બીજેપીએ કર્ણાટક ચૂંટણીમાં પણ અંતે તો હિન્દુ-મુસ્લિમ નો મુદ્દો ઉઠાવીને મુસ્લિમ અનામત હટાવી હિન્દુઓને ખુશ કરવાની ચાલ ચાલી છે.
Advertisement