મહારાષ્ટ્રના રાજકારણમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવારે તેમના કાકા શરદ પવારને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન અપાવવાની ઓફર કરી છે. આ અહેવાલો પર ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે અજીત એટલા મોટા નેતા નથી કે તેઓ શરદ પવારને ઓફર આપી શકે.
Advertisement
Advertisement
શરદ પાવરનું પગલું કદ મોટું – રાઉત
અજિત દ્વારા શરદ પવારને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવાની ઓફરના સમાચાર પર, ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે અજિત પવાર એટલા મોટા નેતા નથી કે તેઓ શરદ પવારને ઑફર કરી શકે. અજિતને શરદ પવારે બનાવ્યા છે, અજિત પવારે શરદ પવારને નથી બનાવ્યા. પવાર સાહેબે સંસદીય રાજકારણમાં 60 વર્ષથી પણ વધુનો સમય વિતાવ્યો છે અને ચાર વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમનું કદ ખૂબ વિશાળ છે.
બીજી તરફ આ મામલે એનસીપી નેતા સુપ્રિયા સુલેએ કહ્યું કે કોઈએ મને કોઈ ઓફર કરી નથી કે મારી સાથે વાતચીત કરી નથી. તમારે તેમને (મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ) પૂછવું જોઈએ કે તેઓ આવા નિવેદનો કેમ કરી રહ્યા છે, મને ખબર નથી. હું વ્યક્તિગત રીતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જેમ કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, ગૌરવ ગોગોઈના સંપર્કમાં છું પરંતુ હું મહારાષ્ટ્રમાં તેમના નેતાઓના સંપર્કમાં નથી.
નામ બદલવા પર કટાક્ષ કર્યો
સંજય રાઉતે સોમવારે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી કરવા પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમની પાસે બીજું બચ્યું જ શું છે ? તમે ઈમારતનું નામ બદલી શકો છો પરંતુ ઈતિહાસમાં ઉલ્લેખિત પંડિત નેહરુનું નામ બદલી શકતા નથી. તમે મહાત્મા ગાંધી, પંડિત નેહરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સાવરકર જી દ્વારા રચાયેલા ઈતિહાસને બદલી શકતા નથી. તમે તેમની જેમ ઈતિહાસ ન રચી શકો તેથી તમે નામ બદલી રહ્યા છો.
Advertisement