દિલ્હી: ભાજપ માટે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવી સરળ નહીં હોય. વિપક્ષ, તેના સાથી પક્ષોએ પણ આ મામલે વિરોધ શરૂ કરી દીધો છે. તમિલનાડુમાં ભાજપના મુખ્ય સાથી પક્ષ AIADMKએ ભાજપને મોટો ઝટકો આપતા કહ્યું કે અમે મોદી સરકારને યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને બંધારણમાં કોઈ સુધારો ન કરવા વિનંતી કરી છે. AIADMK માને છે કે આ કાયદો ભારતના લઘુમતીઓના ધાર્મિક અધિકારો પર પ્રતિકૂળ અસર કરશે.
Advertisement
Advertisement
ભાજપ માટે મોટી મુશ્કેલી
નેશનલ પીપલ્સ પાર્ટી પછી, AIADMK UCCસામે વિરોધ કરનાર બીજો મોટો પક્ષ છે. પંજાબમાં પ્રથમ સહયોગી રહેલા શિરોમણી અકાલી દળે પણ આ મામલે ભાજપનો વિરોધ કર્યો હતો. હવે ભાજપ પોતાના મોટા સહયોગીઓને મનાવવામાં કેવી રીતે સફળ થાય છે તે જોવાનું રહેશે. અગાઉ, નાગાલેન્ડમાં બીજેપીના અન્ય સહયોગી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીએ પણ UCCના અમલ સામે વાંધો ઉઠાવ્યો હતો.
UCC ક્યારે આવશે?
UCC લાંબા સમયથી ભાજપના એજન્ડામાં છે. કાયદા પંચે 14 જૂને UCC પર તેની કવાયત ફરી શરૂ કરી અને 30 દિવસની અંદર દરખાસ્ત પર જાહેર જનતા અને માન્યતા પ્રાપ્ત ધાર્મિક સંસ્થાઓના મંતવ્યો માંગ્યા. મોદી સરકાર આ બિલને સંસદના ટેબલ પર ચોમાસુ સત્રમાં ચર્ચા માટે મૂકી શકે એવી સંભાવના છે.
PM મોદીએ ભોપાલમાં UCC અંગે આપ્યું મોટું નિવેદન
મહત્વપૂર્ણ છે કે, યુએસ પ્રવાસથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મેરા બૂથ સબસે મજબૂત’ અભિયાન હેઠળ મંગળવારે મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે હાલ યુનિફોર્મ સિવિલ કોડના નામે લોકોને ભડકાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે ? ભારતના બંધારણમાં પણ નાગરિકોના સમાન અધિકારની વાત કહેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે વારંવાર યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાવવાનું કહ્યું છે પરંતુ આ વોટ બેંકના ભૂખ્યા લોકો છે.
Advertisement