દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, મણિપુર મુદ્દે વિપક્ષ બંને ગૃહોમાં સતત હોબાળો મચાવી રહ્યો છે. તેના કારણે આજે પણ બંને ગૃહની કાર્યવાહી હોબાળાને લીધે ઠપ્પ થઈ ગઈ હતી. આજે ચોમાસુ સત્રનો સાતમો દિવસ હતો, આજે સવારે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કર્યો હતો, જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 31 જુલાઈ, સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
Advertisement
Advertisement
આજે સવારે લોકસભાની કાર્યવાહી પહેલા 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ ગૃહ ફરી શરૂ થતાં જ વિપક્ષે મણિપુર મુદ્દે તાત્કાલિક ચર્ચાની માગણી સાથે હોબાળો શરૂ કર્યો હતો, જેના કારણે કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભાની શરૂઆતની કાર્યવાહી દરમિયાન સ્પીકરે વિપક્ષને એ પણ પૂછ્યું કે શું તેઓ ગૃહની કાર્યવાહી ચાલુ રાખવા માંગે છે કે નહીં ? આ પહેલા I.N.D.I.A ગઠબંધનના સાંસદોએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને ગૃહમાં મણિપુર પર PM મોદીના નિવેદનની માંગ કરી.
વિપક્ષી પાર્ટીઓ મણિપુર હિંસા મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ પર અડગ છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો, જેના કારણે રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.
વિપક્ષના આ વલણ પર પ્રહાર કરતા લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે સંસદની કાર્યવાહી શરૂ થયાને 7-8 દિવસ થઈ ગયા છે, અત્યાર સુધી ચર્ચાનો એક તબક્કો પણ થયો હોત તો આપણે કોઈ નિષ્કર્ષ પર પહોંચી ગયા હોત. ચર્ચા બાદ પણ તમને સરકારનો જવાબ સંતોષકારક ન લાગે તો તમે કહી શક્યા હોત કે અમને પીએમ પાસેથી જવાબ જોઈએ છે અને તમે ઈચ્છો તેટલો હોબાળો કરી શક્યા હોત.
Advertisement