કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ED રિમાન્ડને કોર્ટે 13 ઓક્ટોબર સુધી લંબાવી દીધા છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં 4 ઓક્ટોબરે સંજય સિંહની ધરપકડ કરી હતી. આ પછી કોર્ટે તેમને પાંચ દિવસના ED રિમાન્ડ પર મોકલી દીધા હતા. સંજયસિંહના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમના ED રિમાન્ડ લંબાવ્યા હતા.
Advertisement
Advertisement
સુનાવણી દરમિયાન સંજય સિંહે કહ્યું, રાત્રે 10:30 વાગ્યે મને કહેવામાં આવ્યું કે તમને બહાર લઈ જવામાં આવી રહ્યા છે, પૂછવા પર મને કહેવામાં આવ્યું કે તમને તુઘલક રોડ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી રહ્યા છે. પછી મેં ફરીથી પૂછ્યું કે શું તમે આ માટે ન્યાયાધીશની પરવાનગી લીધી છે ? મારી વિનંતી પર તેમણે કહ્યું કે, મને લેખિતમાં આપો, મેં લેખિતમાં પણ આપી દીધું છે. બીજા દિવસે પણ એવું જ થયું. મતલબ કે તેમની પાસે અન્ય કોઈ એજન્ડા છે.
સિંહે કહ્યું, હવે જજ સાહેબ, તેમને પૂછો કે કયા વરિષ્ઠ વ્યક્તિના અનુરોધ પર મને ઉપર મોકલવાની તૈયારી કરવામાં આવી હતી. મારી એક જ વિનંતી છે કે તમે મને જ્યાં પણ લઈ જાઓ, મહેરબાની કરીને તેની જાણ જજદ સાહેબને કરો. દરમિયાન કોર્ટે સંજય સિંહને તેમના પરિવાર અને વકીલને 10 મિનિટ સુધી મળવાની મંજૂરી આપી હતી.
EDએ શું દલીલ કરી ?
સુનાવણી દરમિયાન EDએ સંજય સિંહના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા અને કહ્યું કે તેઓ સવાલોના યોગ્ય જવાબ આપતા નથી. જ્યારે તેમને તેમના ફોનના ડેટા વિશે પૂછવામાં આવ્યું ત્યારે પણ તેમણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. કોર્ટના સવાલના જવાબમાં ED તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે તાજેતરમાં જ ચંદીગઢમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જે વેપારીને ત્યાં દરોડો પાડવામાં આવ્યો તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેણે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી છે જેને હાલમાં જાહેર કરી શકાય તેમ નથી.
Advertisement