દિલ્હી: ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ પણ હોબાળેને લીધે કામકાજ વિનાનો જશે તેમ જણાય છે, મણિપુરમાં હિંસા મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના સતત હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી આગળ વધી શકી ન હતી. આજે સવારે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો હતો, જેના કારણે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. રાજ્યસભામાં હોબાળો મચાવનારા AAP સાંસદને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાના અધ્યક્ષે તેમની સામે આ કાર્યવાહી કરી છે. કાર્યવાહી દરમિયાન જ્યારે સાંસદો પ્રશ્નો પૂછી રહ્યા હતા ત્યારે સંજય સિંહ સ્પીકરની ખુરશીની સામે પહોંચી ગયા હતા. એટલું જ નહીં તેમણે મણિપુર હિંસા મુદ્દે મોદી સરકાર વિરુદ્ધ નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.
સંજય સિંહ સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ
સંજય સિંહને સ્પીકર દ્વારા વારંવાર તેમની સીટ પર બેસવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે આ આદેશનું પાલન કર્યું ન હતું. આ પછી પીયૂષ ગોયલે કહ્યું કે સરકાર સંજય સિંહ વિરુદ્ધ સસ્પેન્શનનો પ્રસ્તાવ મૂકી રહી છે અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. સ્પીકરની મંજૂરી બાદ સંજય સિંહને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
વિપક્ષ મણિપુર હિંસા પર સતત ચર્ચાની માંગ કરી રહ્યો છે. સાથે જ સરકારનું કહેવું છે કે તે ચર્ચા માટે તૈયાર છે. ભાજપ સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું કે અમે મણિપુર પર ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ તેની સાથે બિહારમાં જે લાઠીચાર્જ થયો, બંગાળમાં હિંસા થઈ તેના પર પણ ચર્ચા માટે નોટિસ આપી હતી અને સ્પીકરે તેનો સ્વીકાર કર્યો હતો. આજે AAP સાંસદ સંજય સિંહે જે રીતે હોબાળો શરૂ કર્યો કે ગૃહમાંથી તેમને મજબૂરીને લીધે બહાર કાઢવાની ફરજ પડી છે. સરકાર જ્યારે ચર્ચા માટે તૈયાર છે, તો પછી તેઓ (વિપક્ષ) ગૃહની કાર્યવાહીને કેમ ચાલવા દેતા નથી.
Advertisement