દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને તૈયારીઓમાં લાગી ગયા છે, ગઈકાલે દિલ્હીમાં બીજેપીના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધન સહયોગીઓની બેઠક યોજાઈ હતી. મોડી રાત સુધી ચાલેલી આ બેઠકમાં એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે આગામી લોકસભા અને કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પીએમ મોદીના નેતૃત્વમાં જ લડવામાં આવશે. આ બેઠકમાં 38 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આવો જાણીએ બેઠક બાદ નવા અને કેટલાંક જૂના સાથીઓએ શું કહ્યું.
Advertisement
Advertisement
અખિલેશ યાદવ સાથે મળીને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડનાર સુભાસપાના વડા ઓમ રાજભર હવે NDAનો ભાગ બની ગયા છે. બેઠક પૂરી થયા બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આજથી અમે એનડીએમાં સામેલ થયા છીએ અને બધાએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે અમે મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે કામ કરીશું, ગરીબ, પછાત, લઘુમતીઓ બધા સાથે મળીને કામ કરશે.
બીજી તરફ, ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી અને નિષાદ પાર્ટીના સ્થાપક સંજય નિષાદે કહ્યું કે અમારા તમામ ઘટકોનો એક જ અવાજ છે – મોદી સરકાર, એનડીએ સરકાર, અગાઉની સરકારોએ તમામ જાતિ અને ધર્મના લોકોને છેતર્યા છે.
આ અવસરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાશ શિંદેએ કહ્યું કે એનડીએની બેઠકમાં કુલ 39 પક્ષોના વડા સામેલ થયા હતા. આ ખૂબ જ સારી બેઠક હતી, તમામ પક્ષોમાં આત્મવિશ્વાસ હતો. આજે સૌએ મોદીજીને વિશ્વાસ અપાવ્યો છે અને જનતાએ પણ નક્કી કરી લીધું છે કે આ વખતે મોદી સરકાર, આ વખતે 330+ થી વધુ આવશે.
લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાનના જણાવ્યા અનુસાર, 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ફરીથી દેશના વડાપ્રધાન બનશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ તે પરિણામને અમે કેટલું વધારી શકીએ તેના માટે એનડીએના તમામ ઘટક પક્ષોએ એક બેઠક યોજી હતી.
બેઠકમાં ભાગ લીધા બાદ મીડિયા સાથે વાત કરતા હિન્દુસ્તાની અવામ મોરચાના પ્રમુખ જીતન રામ માંઝીએ કહ્યું કે આજે બેઠકમાં સૌએ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કરીને વડાપ્રધાન મોદીના 9 વર્ષના કાર્યકાળની પ્રશંસા કરી અને તેમની વધતી લોકપ્રિયતા વિશે ખુશી વ્યક્ત કરી. 2024માં મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું લોકોએ મન બનાવી લીધું છે.
Advertisement